Sunday, January 25, 2026

અમદાવાદમાં મેગા ડિમોલીશન: વટવામાં તળાવ પાસે 400 થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ લાલ આંખ કરી છે. શહેરના ચંડોળા, કુબેરનગરના ઉમલા તળાવ અને ઈસનપુર તળાવ બાદ વધુ એક તળાવ પર બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં આવેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કુલ ચાર તબક્કામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે વહેલી સવારથી જ AMC ના એસ્ટેટ વિભાગની ટીમ જેસીબી અને લોડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ડિમોલિશન અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું, વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હિટાચી અને JCB દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

દબાણ હટાવાની કામગીરીમાં 300 અધિકારીઓ-કર્મચારીઓ અને 500 પોલીસ જવાનો જોડાયા છે. 12 હિટાચી મશીન અને 4 જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે. ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.

AMC દ્વારા આ ડિમોલીશન માત્ર દબાણ હટાવવા માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શહેરના વિકાસના હેતુથી કરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ આ તળાવને ડેવલપ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ માટે વૉકિંગ ટ્રેક, ગાર્ડન અને સુશોભિત લાઈટિંગ જેવી સુવિધાઓ ઉભી કરાશે. જળસંચયની ક્ષમતા વધારવા માટે તળાવનું ઊંડુંકરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જળાશયોને પુનઃજીવિત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ ચંડોળા તળાવ અને ઇસનપુર તળાવ પાસેના હજારો ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ જ કડીમાં આજે વટવા વાનર વટ તળાવનો વારો આવ્યો છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...