Sunday, January 25, 2026

અમદાવાદમાં મહિલા પર લેબ્રાડોર હુમલા મામલે, AMCએ શ્વાનને શેલ્ટરમાં પૂર્યો, શ્વાન માલિક સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં એક મહિલાને પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની નવી ઘટના સામે આવી છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને બોપલ પોલીસે સંયુક્ત રીતે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ મામલે શ્વાન માલિકની બેદરકારી બદલ તેમની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ શ્વાનને જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે કાવેરી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા હીનાબેન પટેલ જ્યારે પોતાના ફ્લેટની સીડી મારફતે ઉપર જઈ રહી હતી ત્યારે સામે તરફથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈને નીચે આવી રહી હતી. અચાનક કૂતરાએ મહિલાને ઝપટે લઈ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.આ હુમલામાં હીનાબેન ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અચાનક બનેલી આ ઘટનામાં ફ્લેટમાં રહેતી એક મહિલા પર પાળેલા કૂતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કૂતરાએ મહિલાના પગ પર બચકું ભરવા જતાં નખ બેસાડી દીધા હતા. જેથી મહિલા ઘાયલ થઈ હતી. સમગ્ર બનાવ ફ્લેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.ઘટનાને લઈને મહિલાના પતિએ AMCના CNCD વિભાગ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં CNCD વિભાગની ટીમે કૂતરાને જપ્ત કર્યો હતો. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગનું રજિસ્ટ્રેશન મે 2025માં કરાવવામાં આવ્યું હતું. કોઈને વધુ ઇજા ન થાય અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી કૂતરાને દાણીલીમડા ઢોરવાડા ખાતે ખસેડવામાં આવ્યું છે.અને તેને જરૂરી તમામ રસી પણ આપવામાં આવી છે.

શ્વાન રજિસ્ટર્ડ હોવા છતાં, અધિકારીઓએ નોંધ્યું કે જ્યારે માલિકની દીકરી શ્વાનને સીડી પરથી નીચે લઈ જતી હતી, ત્યારે તેને યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં આવ્યો નહોતો. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જગ્યાએ અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ AMCના અધિકારીઓએ બોપલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરી છે.

ભોગ બનનાર મહિલાના પતિ જશવંતકુમાર પટેલે પણ બોપલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ શ્વાન અગાઉ પણ અનેકવાર આક્રમક વર્તન કરી ચૂક્યો છે, જેના કારણે સોસાયટીના બાળકો અને વડીલોમાં સતત ડરનો માહોલ રહે છે. ઘટના સમયે જશવંતકુમાર વતનમાં હોવાથી તેમણે મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સાથેની અરજી પોલીસને મોકલી આપી હતી. આ બંને ફરિયાદોના આધારે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે અત્યાર સુધી કૂતરા કરડવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ડોગને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી એક કૂતરાનું મોત થયું હતું. જ્યારે હાલ બે પેટ ડોગ દાણીલીમડા ઢોરવાડામાં રાખવામાં આવ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...