Thursday, March 12, 2026

અમદાવાદમાં 26,949 ચાલીઓમાં 3 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખીને અજવાળું કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવેલી ચાલીઓમાં હવે સ્ટ્રીટ લાઈટના પોલ નાખવામાં આવશે. ગત 22 જાન્યુઆરીના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 26,949 ચાલીઓમાં સ્ટ્રીટલાઈટના પોલ નાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં જે ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખી દેવામાં આવશે જેથી નાગરિકોને હાલાકી પડશે નહીં.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનમાં જે ચાલીઓ આવેલી છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી અને ગટરની સુવિધા આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કેટલીક ચાલીઓમાં લાઈટનો અભાવ હતો. ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 26949 જેટલી ચાલીઓમાં સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવશે. જેથી ત્રણથી ચાર લાખ લોકોને ફાયદો મળશે. સ્ટ્રીટ લાઈટ પોલ નાખવા પાછળ રૂ. 2.5થી 3 કરોડના ખર્ચે લાઈટ નાખીને અજવાળું કરવામાં આવશે.

મ્યુનિસિપલ આવેલી ચાલીઓ તથા ઝૂંપડાઓ, જ્યાં ગટર, પાણી અને રોડ જેવી પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવતી હોય અને તેઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય તેવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા જનરલ બજેટમાંથી આપવામાં આવશે. જે ચાલી/ઝૂંપડાઓના પ્રોપર્ટી ટેક્સ બીલમાં ચાલી તરીકેનો ઉલ્લેખ હોય ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...