Wednesday, March 11, 2026

અમદાવાદમાં પરીક્ષા ટાણે જ આ કોલેજ સીલ, વિદ્યાર્થીઓ અટવાયા, શું છે કારણ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે શહેરના પાલડી વિસ્તારમાં આવેલી જાણીતી પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ અને કોમર્સ કોલેજને સીલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાને કારણે તંત્રએ આ આકરૂં પગલું ભર્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને લઈ શહેરમાં સિલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કોલેજ દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવ્યો નહોતો. કોલેજ વહીવટી તંત્ર પાસે કુલ 11 લાખ 77 હજાર રૂપિયા જેટલી માતબર રકમનો ટેક્સ લેણો નીકળતો હતો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા અંતે એએમસીની ટીમે કોલેજ પરિસર પહોંચીને મુખ્ય દરવાજે સીલ મારી દીધું હતું.

હાલ યુનિવર્સિટીની હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા ચાલી રહી છે, તે દરમિયાન જ કોલેજ સીલ થવાથી વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. મધ્યસત્ર દરમ્યાન લેવાયેલ આ પગલાંથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ મામલે કોલેજના અધ્યાપક મંડળે AMC તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક શૈક્ષણિક કોલેજનું સીલ ખોલવાની માંગ કરી છે. શિક્ષણ સંસ્થાને સીલ કરવાના નિર્ણયને લઈને શહેરના શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા જોર પકડી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...