Thursday, February 19, 2026

AMCનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ‎: રૂ.11.77 લાખ ટેક્સ બાકી છતાં પી.ટી. ઠક્કર કોલેજનું સીલ ખોલી આપ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં આવેલ પ્રભુદાસ ઠકકર કોલેજ ખાતે બે દિવસ અગાઉ સવારના સમયે પશ્ચિમ ઝોન ટેકસ વિભાગની ટીમ પહોંચી હતી.જયાં 11.77 લાખ ટેક્સ બાકી હોવાથી ટીમ દ્વારા દરવાજા ઉપર સીલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો હતો.જો કે કોલેજ સત્તાવાળાએ રજૂઆત કરતા મ્યુનિ.એ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલી આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વાસણાની પી.ટી. ઠક્કર કોલેજનો 11.77 ટેક્સ બાકી હોવાથી મ્યુનિ.એ કોલેજ સીલ કરી હતી. સરકાર સંચાલિત કોલેજને સીલ કર્યા બાદ સત્તાવાળાએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની કામગીરી ચાલતી હોવાથી હાલ પૂરતું સીલ ખોલી આપવા અને 31 જાન્યુઆરીમાં બાકી ટેક્સ ચૂકવી દેશે તેવી બાંયધરી આપી હતી. એ પછી મ્યુનિ.એ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલી આપ્યું છે.

આ કોલેજ દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવ્યો નહોતો. કોલેજ વહીવટી તંત્ર પાસે કુલ 11 લાખ 77 હજાર રૂપિયા જેટલી માતબર રકમનો ટેક્સ લેણો નીકળતો હતો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા અંતે એએમસીની ટીમે કોલેજ પરિસર પહોંચીને મુખ્ય દરવાજે સીલ મારી દીધું હતું.

ઉલ્લેખનીય છેકે, મ્યુનિ. ટેક્સ વિભાગે અત્યારે વ્યાજ માફી યોજના અમલી બનાવી છે, ત્યારે હજુ પણ અનેક ટેક્સ બાકીદારો યોજનાનો લાભ લેતા નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...