Saturday, January 31, 2026

રિવરફ્રન્ટ રોડ પર એકની પાછળ એક ચાર કાર ઘૂસી, મહિલા દર્દીનો આબાદ બચાવ ! ભારે ટ્રાફિકજામ સર્જાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આવેલા શાહીબાગ તરફના સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક કાર રોડ પર હાઈ સ્પીડમાં ચાલતી હતી. જેણે અચાનક બ્રેક મારતા આ કાર સાથે પાછળથી આવી રહેલી કાર અથડાઈ હતી. જે પછી એક બાદ એક એમ કુલ ચાર કાર ટકરાઈ હતી. આ કાર અકસ્માત બાદ રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સવારે 11 વાગ્યાની આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ પર ડફનાળાથી શાહીબાગ તરફ જતા એક અમેઝ કારની પાછળ વેગેનાર કાર અથડાઈ હતી જેની પાછળ અન્ય બે કાર અથડાઈ હતી આમ એક બાદ એક ચાર ગાડી એકબીજા સાથે અથડાઈ હતી અકસ્માતના સમયે વાહનોની અવરજવર વધુ હોવાના કારણે રિવરફ્રન્ટ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને ગાડી સાઈડમાં કરાવી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું.

અકસ્માતમાં MP પાસિંગની એક કાર હતી,જેમાં એક મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. અકસ્માત દરમિયાન મહિલા દર્દીને સામાન્ય ઇજા પણ પહોંચી હતી જેથી મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...