અમદાવાદ : રિવરફ્રન્ટ પર યોજાયેલા ભવ્ય ફ્લાવર શોના સમાપન બાદ તેમાં રાખવામાં આવેલી વિવિધ પ્રજાતિના ફૂલ-છોડને શહેરીજનો પોતાના ઘરના આંગણે કે ગાર્ડનમાં લગાવી શકે તે હેતુથી AMC ના ગાર્ડન વિભાગ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે શહેરના નગરજનો ચાર મુખ્ય નર્સરીઓ પરથી આ ફૂલ-છોડની ખરીદી કરી શકશે. ચાંદખેડા નર્સરી,એલિસબ્રિજ નર્સરી,નવરંગપુરા નર્સરી,સાયન્સ સિટી પાસે આવેલી AMCની નર્સરી. AMC દ્વારા આ છોડના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવ્યા છે.નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે.
છોડની વેરાયટી મુજબ રૂ. 10 થી લઈને રૂ. 235 સુધીના અલગ-અલગ ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે.વ્યક્તિગત વપરાશ માટે 1 નંગથી લઈને મોટા બગીચાઓ માટે 1000 નંગ સુધીના જથ્થામાં ફૂલ-છોડ મળી શકશે.શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે.
આ સ્થળો પરથી રોપાની ખરીદી કરી શકાશે
રસાલા નર્સરી, લૉ ગાર્ડન બી. આર. ટી. એસ બસસ્ટેન્ડની સામે, એલિસબ્રીજ, અમદાવાદ
સૌરભ નર્સરી, સૌરભ ગાર્ડન સામે, મેમનગર ફાયર સ્ટેશનની સામે, નવરંગપુરા
વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, આઈ સી આઈ સી આઈ બેંકની ગલીમાં, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા
સાયન્સ સિટી નર્સરી, સાયન્સ સિટી રોડ,ધ કેપિટલ – 2ની ગલીમાં, કેનાલ રોડ, ગોતા


