Tuesday, February 3, 2026

માતા-પિતા સાવધાન, રમતા રમતા આખેઆખું રમકડું દોઢ વર્ષનું બાળક ગળી ગયું, સિવિલના તબીબોએ સફળ સર્જરી કરી બચાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરી એક માસૂમ બાળકને નવજીવન આપ્યું છે. વંશ નામના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ‘હલ્ક’ આકારનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી લીધું હતું. આ રમકડું બાળકના જઠરમાં ફસાઈ ગયું હતું, જે તેના જીવન માટે જોખમી સાબિત થઈ શકતું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. બાળકની ગંભીર સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે તાત્કાલિક નિર્ણય લીધો હતો. કોઈ પણ ચીરફાડ વગર અત્યાધુનિક દુરબીન (Endoscopy) દ્વારા જઠરમાં ફસાયેલું આખેઆખું રમકડું સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. તબીબોની આ સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યને કારણે જટિલ સર્જરી સફળ રહી અને બાળકનો જીવ બચી ગયો.આ કિસ્સો માતા-પિતાને સાવધાન કરતો સાબિત થયો છે.

આ કિસ્સા અંગે ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “જો ઓપરેશનમાં થોડો પણ વિલંબ થયો હોત, તો આ રમકડું જઠરમાંથી આગળ વધીને આંતરડામાં ફસાઈ શકતું હતું. આવી સ્થિતિમાં આંતરડું બ્લોક થવાનો કે આંતરડું ફાટી જવાનો પણ મોટો ખતરો રહેલો હતો.” આ કિસ્સો તમામ માતા-પિતા માટે એક મોટી ચેતવણી છે. નાના બાળકો જ્યારે રમકડાંથી રમતા હોય ત્યારે સતત ધ્યાન રાખવું અનિવાર્ય છે, કારણ કે નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.ઓપરેશન બાદ વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ અન્ય વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, “બાળકોને આવા નાના રમકડાં ક્યારેય રમવા ન આપવા જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ. સિવિલના તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે જ આજે મારો પુત્ર સુરક્ષિત ઘરે જઈ રહ્યો છે.” ભવિષ્યમાં અન્ય બાળકો સાથે આવી દુર્ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા આ કિસ્સો વાલીઓની જાગૃતિ માટે જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...