Tuesday, February 3, 2026

એસપી રીંગ રોડ પર ATSના ASI પર મિક્સર ટ્રક ફરી વળતા મોત : વ્હીલ નીચે આવી ગયા બાદ 25 મીટર ઢસડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સોમવારે બપોરે લગભગ 2:15 કલાકે વૈષ્ણોદેવી ચાર રસ્તા અને ઝૂંડાલ સર્કલની વચ્ચે મિક્સર ટ્રકની નીચે ચગદાઈ જતાં બાઈક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મિક્સર ટ્રકના ટાયરની નીચે આશરે 25 મીટર સુધી યુવક ઢસેડાયો હતો. જેથી શરીરના અંગો બહાર આવી ગયા હતા. હાજર તમામ લોકો અકસ્માતના દ્રશ્યો જોઈ હેબતાઈ ગયા હતા. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા SRP કેમ્પસ પાસે આવેલી અમરદીપ પાર્ક સોસાયટીમાં રહેતા અજીત નાંદે (ઉ. વ. 50) ગુજરાત ATSમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા હતા. આજે 2 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ એસપી રીંગ રોડ પર વૈષ્ણવદેવીથી ઝુંડાલ તરફ જતાં હતા ત્યારે ત્રાગડ અંડરપાસ પાસેથી સર્વિસ રોડ પરથી એક એકિટવા ચાલક મુખ્ય રોડ પર આવ્યો હતો. ત્યારે ASI અજીત નાદેનાના બાઇક સાથે ટક્કર થઈ હતી.

ત્યારે રિંગ રોડ પરથી આવતાં મિક્સર ટ્રકની પાછળના ભાગે અડફેટે આવી ગયા અને પાછળના ટાયરમાં આવી જતાં 25 મીટર ઘસડાયા હતા અને તેઓનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...