Thursday, February 5, 2026

મહેસૂલ વિભાગનું નવું જાહેરનામું, જમીન-મિલકતના e-Registration માટે હવે ચૂકવવી પડશે ફી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે રાજ્યમાં દસ્તાવેજોના ઈ-રજીસ્ટ્રેશન (e-Registration) માટે નવી ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન એક્ટ, 1908ની કલમ 78 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો નિયમ ૨ ફેબ્રુઆરી, 2026થી અમલી બન્યો છે, જેનો મુખ્ય હેતુ ઓનલાઈન નોંધણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.

આ જાહેરનામા મુજબ, વર્ષ 1987ના જૂના ફી સ્ટ્રક્ચરમાં સુધારો કરીને ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે “ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી” નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે 100 ફી વસૂલવામાં આવશે.આ ફી દરેક ઈ-ફાઈલ થયેલા દસ્તાવેજ પર લાગુ પડશે, જેનો હેતુ ડિજિટલ નોંધણીની વહીવટી પ્રક્રિયાને ટેકો આપવાનો છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. હવેથી જે નાગરિકો ઘરબેઠા અથવા ઓનલાઈન માધ્યમથી દસ્તાવેજની નોંધણી કરાવશે, તેમને નિયત નોંધણી ફી ઉપરાંત આ 100 રૂપિયાની વધારાની પ્રોસેસિંગ ફી ભરવી પડશે. આ નિર્ણયથી રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સ અને ઈ-રજીસ્ટ્રેશનની સુવિધાને વધુ વેગ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...