Wednesday, March 11, 2026

AMCની સંવેદનશીલ પહેલ, પાલતુ શ્વાન માટે શરૂ થયું CNG ગેસ આધારિત સ્મશાન, ઘેરબેઠાં જોઈ શકશે અંતિમવિધિ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવતા ગુજરાતના પ્રથમ અત્યાધુનિક CNG આધારિત ‘પેટ ડોગ ક્રિમેટોરિયમ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલતિ ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે, જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમવિધિ હવે ઘેરબેઠાં પણ જોઈ શખશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી (CNCD) વિભાગ દ્વારા બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ. 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ સ્મશાનગૃહમાં એકસાથે 3 શ્વાનના અંતિમ સંસ્કાર કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટને સંપૂર્ણપણે ગેસ આધારિત રાખવામાં આવ્યો છે, જેના કારણે તે ધુમાડા રહિત અને દુર્ગંધ રહિત છે. વિધિ પૂર્ણ થયા બાદ માલિકોને શ્વાનની અસ્થિ અને રાખ પણ સન્માનપૂર્વક પરત કરવામાં આવશે.

આ ક્રિમેટોરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગના રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.

ટેકનોલોજીના સમન્વય સાથે CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેરબેઠાં પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનનાં પરિવારજનો માટે 6 સીટિંગ બાકડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ એનાં અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.જે અત્યાર સુધી માત્ર મોટા મેટ્રો શહેરોમાં જ જોવા મળતી હતી.

નિષ્ણાતોના મતે, શહેરી વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓના મૃત્યુ બાદ તેમના નિકાલ માટે માલિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ઘણીવાર જાહેર આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતા હતા. આ વ્યવસ્થાથી હવે માત્ર ભાવનાત્મક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ શહેરને ફાયદો થશે. અમદાવાદની આ પહેલ આગામી સમયમાં રાજ્યના અન્ય મહાનગરો માટે પણ એક મોડેલ સાબિત થઈ શકે છે. કોર્પોરેશનના આ નિર્ણયથી હજારો પેટ લવર્સને રાહત મળી છે, જેઓ પોતાના પાલતુ પ્રાણીને પરિવારના સભ્ય સમાન ગણે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...