Saturday, February 14, 2026

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ મહત્વના સમાચાર, આ ટોલ ફ્રી નંબર ડાયલ કરશે તો દરેક સમસ્યાનું મળશે સમાધાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક, શૈક્ષણિક અને માર્ગદર્શન સહાય મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ટોલ ફ્રી હેલ્પલાઇન 12 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. ત્યારે શિક્ષણ વિભાગના આદેશને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ હેલ્પલાઇન નંબર 9909922648 જાહેર કર્યો છે. 9909922648 હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે.વિદ્યાર્થીઓને હેલ્પલાઇન પર વોટ્સએપના માધ્યમથી ઉકેલ મળશે.હેલ્પલાઇનનો સમય દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધીનો રહેશે. આ સેવા દરમિયાન અનુભવી શિક્ષકો, માર્ગદર્શકો અને કાઉન્સેલરો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાની તૈયારી કરી શકે.

DEO કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેના દ્વારા એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટની ટિમ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. વાંચું છું પણ યાદ રહેતું નથી. મને પરીક્ષાનો ડર સતાવે છે જેવા પ્રશ્નો વધારે પડતા હોય છે. જેના માટે અમારી સાયકોલોજીસ્ટની ટીમ વિદ્યાર્થીઓને કોલ કરી તેઓનો ડર દૂર કરે છે અને પરીક્ષા માટે માર્ગદર્શન આપે છે.

એવી જ રીતે જો કોઈ વિદ્યાર્થીઓના વિષયને લાગતા પ્રશ્નો હોય તો તેના માટે વિષયને લગતા એકપર્ટ વિદ્યાર્થીઓનો વોટ્સએપ મેસેજ આવતા જે તે વિદ્યાર્થીઓને કોલ કરી વિષયને લગતું માર્ગદર્શન આપે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા હોય તો આ હેલ્પલાઇનનો સંપર્ક કરે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...