Tuesday, February 17, 2026

અમદાવાદમાં ફરી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો, મંદિર સામે જ થયું ગાયનું મોત, દારૂની બોટલ મળી

spot_img
Share

અમદાવાદ: શહેરમાં ફરીથી નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના વટવામાં જોગણી માતાના મંદિર પાસે બેફામ રીતે હંકારતા કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી છે. જેમાં ગાય પણ અડફેટે આવી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગાયનું કરૂણ મોત નીપજ્યું છે. કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. જ્યારે ડ્રાઇવરની પાછળની સીટ પરથી પણ પ્લાસ્ટિકની બોટલમાં દારૂ જેવું કાંઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, વટવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે ગત રાત્રે એક લક્ઝરી કારચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારચાલક એટલી હદે નશામાં હતો કે તેને રસ્તા પરનું પણ ભાન નહોતું. કારની ગતિ એટલી તેજ હતી કે અકસ્માત બાદ મોટો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ જ્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ કારની તપાસ કરી, ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવતા મામલો વધુ બિચક્યો હતો. લોકોનો આક્ષેપ છે કે કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને તેના કારણે જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે. કારમાંથી મળેલી દારૂની બોટલ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ સામે ફરી એકવાર સવાલો ઉભા કરે છે.

આ અકસ્માતની સૌથી દુખદ બાબત એ છે કે કારચાલકે એક અબોલ ગાયને અડફેટે લીધી હતી. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, ટક્કર એટલી જોરદાર હતી કે ગાયનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોતાના પશુઓના જીવ જોખમમાં મુકાતા જોઈને સ્થાનિકોએ કારચાલકને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. કારચાલકનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે જેથી તે નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. પોલીસે ગુનો નોંધીને કાર અને દારૂની બોટલ જપ્ત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે કે આ નબીરો ક્યાંથી આવતો હતો અને દારૂ ક્યાંથી લાવ્યો હતો.

થોડા દિવસ પહેલા પણ શહેરમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. શહેરના નરોડા સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત નબીરા રાઘવેંદ્ર સીંગે બેફામ ડ્રાઈવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ નબીરો ફરાર થયો હતો. સ્થાનિક યુવાઓના આક્ષેપ પ્રમાણે, લોકોએ આ નબીરાનો પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ વાન આવી નબીરાને બચાવી ભગાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો બનાવનાર યુવક પર નબીરાએ ગાડી ચઢાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. આ સાથે ધારાસભ્ય અમૃત ઠાકોરે નબીરાને પોલીસ બચાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પોલીસે નબીરાની (31 વર્ષ) અટકાયત કરી લીધી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...