Wednesday, March 11, 2026

અમદાવાદમાં ડમ્પર ચાલકનો કહેર યથાવત, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રોયલ અકબર ટાવર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા.બનાવ અંગે જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો 22 વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે નંબરપ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં મુસ્તકીમ જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતીઅને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ મેડિકલ ટીમે તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે મામલાની ગંભીરતા જોઈને યુવકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત ડમ્પર ચાલકને પકડવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, એના કારણે જ આ અકસ્માત થયો છે.દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...