Sunday, February 22, 2026

અમદાવાદમાં લક્ઝરી-ST બસોની એન્ટ્રી સાવ બંધ થશે, AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 2030 માં યોજાનાર કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે હવે લક્ઝરી બસો અને એસટી (GSRTC)ની બસોને શહેરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આ બસો હવે માત્ર એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. ત્યાંથી મુસાફરોને AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો પડશે.

અમદાવાદમાં જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની AMTS, BRTS અને મેટ્રો દોડી રહી છે.

લોકો વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં વસ્તી દિવસે દિવસે વધી રહી છે. એક જ ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હોય તો ટ્રાફિક સમસ્યા વધે છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન અપનાવે તો ટ્રાફિકમાં મોટો ઘટાડો શક્ય છે. અમદાવાદ મેટ્રો સિટી તરીકે વિકસી રહ્યું છે, તેથી અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા જરૂરી બની છે.આ આયોજનથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર ઘટશે અને ટ્રાફિક હળવો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જાહેર પરિવહન અંગે જાગૃતિ લાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન યોજાયું છે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પહેલનો હેતુ શહેરમાં સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો કેન્દ્રિત મોબિલિટી અંગે ચર્ચા કરવાનું છે.

2023 અને 2030માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલોત્સવોને ધ્યાનમાં રાખીને શહેરના રોડ, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિદેશી પ્રતિનિધિઓ અમદાવાદ આવે ત્યારે શહેરની સકારાત્મક છબી ઉભી થાય તે માટે સરકાર અને AMC દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...