Wednesday, March 11, 2026

અમદાવાદમાં ખાડો ખોદે તે પડે’ જેવો ઘાટ, AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, સ્થાનિકોમાં પણ આક્રોશ

spot_img
Share

અમદાવાદ : કહેવાય છે કે ‘ખાડો ખોદે તે પડે’, અને આ કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. શહેરના વ્યસ્ત એવા CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા જ ખોદવામાં આવેલા એક ખાડામાં AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. CTM ચાર રસ્તા પાસે પણ AMC દ્વારા રસ્તાનું કામ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ ખોદકામ બાદ ત્યાં યોગ્ય મટીરિયલ વાપરીને મજબૂત પુરાણ કરવાનું હોય છે, પરંતુ અહીં સંતોષ માનવા ખાતર માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું.

આજે જ્યારે AMCનું જ એક ડમ્પર આ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે માટીવાળા પોચા પુરાણને કારણે ડમ્પરના ટાયર જમીનમાં ધસી ગયા હતા. ડમ્પર એવી રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે ભારે મથામણ કરવી પડી હતી. આ દ્રશ્ય જોઈને રાહદારીઓ અને સ્થાનિકોમાં હાસ્યની સાથે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, “તંત્રએ જે ખાડો જનતા માટે ખોદ્યો હતો, આજે તેમાં પોતે જ ફસાયું છે.”એટલું જ નહીં આ જોઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ઉપરછલ્લું કામ કરીને ભ્રષ્ટાચારને ડાટી દેવાનો પ્રયાસ થયો છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો આ ખાડામાં કોઈ રાહદારી કે ટુ-વ્હીલર ચાલક ફસાયો હોત અને કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત, તો તેની જવાબદારી કોણ લેત?

હાલમાં તો ડમ્પરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શું ભ્રષ્ટાચારના આ ખાડામાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ એક્શન લેવાશે કે પછી ફરીથી માટી નાખીને આખા મામલાને રફાદફા કરી દેવામાં આવશે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...