Monday, February 23, 2026

અમદાવાદમાં વધુ એક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેઇનર ચાલકે મોપેડ લઈને પસાર થઈ રહેલા પાયલબેન ગજ્જર નામની મહિલાને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઈજાઓને કારણે પાયલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પૂર્વમાં આવેલા વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ચાલકે મોપેડ લઈને પસાર થઈ રહેલા પાયલબેન ગજ્જર નામની મહિલાને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઈજાઓને કારણે પાયલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાજર સ્થાનિક લોકોએ 108 ટીમ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલબેનના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ભોગ બનનાર મહિલા પાયલબેન ગજ્જર મોપેડ લઈને વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી ઓવરસ્પીડમાં આવી રહેલા કન્ટેનર ચાલકે જોરદાર ટક્કર મારી હતી, જે બાદ પાયલબેન ટ્રક નીચે ચગદાઈ ગયા જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, હાજર સ્થાનિક લોકોએ 108 ટીમ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલબેનના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો થયો છે. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવરસ્પીડ, બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...