Tuesday, February 24, 2026

અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ, 6.72 લાખનો દંડ વસૂલાયો

spot_img
Share

અમદાવાદ : AMCના ફૂડ વિભાગ દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2026થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન કુલ 495 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ અને દૂધની બનાવટોના 110, બેકરી પ્રોડક્ટ્સના 9, મીઠાઈના 16, નમકીનના 32, અનાજ-લોટના 45, ખાદ્યતેલના 35 અને મસાલાના 42 નમૂનાઓનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લીધાં હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની ત્રણ જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા ત્રણેય જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. સંબંધિત એકમોને નોટિસ આપી રૂ. 7,000થી 20,000 સુધીની પેનલ્ટી વસૂલવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ત્રણે જગ્યાઓ ઉપર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીના સાત જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ- દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમુના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...