Friday, March 20, 2026

અમદાવાદમાં ‘મિની વાવાઝોડા’ બાદ મેઘરાજાની બેટિંગ, ક્યા કયા વિસ્તારોમાં નુકશાન થયું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહેલી ગરમી વચ્ચે આજે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા 18 થી 21 માર્ચ દરમિયાન કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં સાચી ઠરી છે. બપોર પછી શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અંદાજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવને ધૂળની ડમરીઓ ઉડાડતા વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આ મિની વાવાઝોડાને કારણે એસ.જી. હાઈવે, પ્રહલાદનગર અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા હજારો અમદાવાદીઓ આ અચાનક આવેલી આફતમાં અટવાઈ પડ્યા હતા. જેમાં ઑફિસેથી ઘરે જતી વખતે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના S G હાઈવે, ચાંદખેડા, મોટેરા, મકરબા, સેટેલાઇટ, બોપલ, રામદેવનગર, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ, વિસલપુર, સનાથલ, કાશિન્દ્રા અને શાંતિપુરા સહિતના વિસ્તારમાં માવઠા થયા હતા.

આ ઉપરાંત આ કુદરતી આફત વચ્ચે બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામે એક મોટી હોનારત ટળી હતી. ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે મેલડી માતાજીના મંદિરે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, જે વાવાઝોડામાં ઉખડીને સીધો હાઈવોલ્ટેજ વીજ લાઈન પર જઈ પડ્યો હતો. સામાન્ય રીતે ૧૧ KV ની લાઈન પર લોખંડ કે ભીના કપડાનો મંડપ પડવાથી મોટો બ્લાસ્ટ થઈ શકે છે, પરંતુ આ લાઈન આધુનિક ઇન્સ્યુલેટેડ હોવાને કારણે કોઈ કરંટ ઉતર્યો ન હતો અને સેંકડો શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા. જોકે, બાવળાના મેળામાં પવનને કારણે સ્ટોલ અને મંડપોને નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના જણાવ્યા મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ગોદરેજ ગાર્ડન સિટી અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે.

સદનસીબે, કોર્પોરેશનની ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવીને રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત મળી હતી. આ માવઠાને કારણે વેજલપુર, સરખેજ અને મકરબા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાં તો ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા લોકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...