Sunday, March 22, 2026

વાલીઓ માટે મોટા રાહતના સમાચાર : નવા સત્રમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન આ વર્ષે ભાડામાં નહીં કરે વધારો

spot_img
Share

અમદાવાદ : ગલ્ફના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર દેખાઈ રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ-એલપીજીની અછતના અહેવાલો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવ વર્ષે ફી નહિ વધારવાનો નિર્ણય લઈને મધ્યમ વર્ગને રાહત આપી હતી.એસોસિએશને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આગામી નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન કે રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં, જેનાથી વાલીઓના ઘરના બજેટ પર વધારાનો બોજ નહીં પડે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લે વર્ષ 2024-25માં જે ભાડા વધારો કરવામાં આવ્યો હતો, તે જ અત્યારે અમલી રહેશે. આ નિર્ણય માત્ર એક વર્ષ પૂરતો જ નથી, પરંતુ એસોસિએશને જૂન 2027 સુધી સ્કૂલ વર્ધીના ભાવ સ્થિર રાખવાની ખાતરી આપી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં અનિશ્ચિતતા હોવા છતાં, વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ રાહત આપવામાં આવી છે.

એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા નવા માળખા મુજબ, 1 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 750 રૂપિયા અને વાન માટે 1200 રૂપિયા રહેશે. જો અંતર 2 કિલોમીટર હોય તો રિક્ષા માટે 850 રૂપિયા અને વાન માટે 1400 રૂપિયા વસૂલવામાં આવશે. તેવી જ રીતે, 3 કિલોમીટરના અંતર માટે રિક્ષા ભાડું 950 રૂપિયા અને વાનનું ભાડું 1600 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વધુ અંતર ધરાવતા વાલીઓ માટે, 4 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 1050 રૂપિયા અને વાન માટે 1800 રૂપિયા રહેશે. જ્યારે 5 કિલોમીટર કે તેથી વધુ અંતર માટે રિક્ષા ચાલકો 1150 રૂપિયા અને વાન ચાલકો 2000 રૂપિયા ભાડું વસૂલી શકશે. આ નક્કી કરેલા દરોથી વાલીઓ અને વર્ધી ચાલકો વચ્ચે ભાવતાલને લઈને થતી અસમંજસ દૂર થશે.

શિક્ષણના સતત વધતા ખર્ચ અને સ્કૂલ ફીમાં થતા વધારા વચ્ચે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ન વધે તે વાલીઓ માટે મોટું આશ્વાસન છે. વર્ષ 2024-25માં છેલ્લે થયેલા વધારા બાદ હવે લાંબા ગાળા સુધી ભાવ સ્થિર રાખવાનો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ભાડામાં વધારો ન કરવાની સાથે સાથે એસોસિએશને તમામ સ્કૂલ વર્ધી ચાલકોને કડક સૂચના આપી છે કે તેઓએ બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવી નહીં. વાહનોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવું અને ક્ષમતા કરતા વધુ બાળકોને ન બેસાડવા તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદના હજારો વાન અને રિક્ષા ચાલકોએ આ નિર્ણયને હર્ષભેર સ્વીકાર્યો છે, જેથી વાલીઓ અને ચાલકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...