Thursday, March 26, 2026

રાણીપમાં 42 વર્ષીય યુવકની આત્મહત્યા, હચમચાવનારી સ્યુસાઇડ નોટમાં પત્નીના આડા સંબંધોનો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આપઘાત પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને આધારે રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથ દેસાઈના મોત અંગે ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન અંદાજે 15 વર્ષ પહેલા ભગવતી સાથે થયા હતા અને તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. પરિવાર રાણીપના સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદ મુજબ, દશરથએ પોતાની પત્નીના અનેક પુરુષો સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીના ફોનની કોલ ડીટેલ્સ કાઢતા ઘણા લોકો સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું હોવાનું પણ આક્ષેપ છે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી.

ત્યાર પછી પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવાયું હતું અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ 21 માર્ચે પત્નીના ભાઈઓ ઘરે આવી દશરથ પર ખોટા આરોપ લગાવી તેને ધમકાવ્યા અને પોતાની બહેનને ફરી સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના બાદ દશરથ માનસિક તણાવમાં આવી ગયો હતો. 22 માર્ચે સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં પત્ની સામે ગંભીર આક્ષેપો સાથે બાળકો પ્રત્યે લાગણીસભર શબ્દો લખાયેલા છે સાથે જ આર્થિક નુકસાન અને ઘરેલુ તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મૃતકે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું આત્મહત્યા કરું છું કારણ કે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. મેં ઘણું સમજાવ્યું અને સમાધાન પણ કર્યું, છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહીં.’ મહત્ત્વનું છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્યૂસાઈડ નોટમાં મૃતકની પત્નીના અન્ય પુરુષો સાથેના સંપર્ક અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવામાં આવી છે. વધુમાં, પત્નીએ સગા-સંબંધીઓના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. દશરથભાઈએ પત્નીને સજા અપાવવાની વિનંતી કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...