Thursday, April 9, 2026

AMCનું ફૂડ વિભાગ એક્શનમાં, બે જાણીતી રેસ્ટોરન્ટ સીલ, 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખાસ કરીને ‘એનાલોગ પનીર’ (નોન-ડેરી પ્રોડક્ટ) ના વધતા ઉપયોગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં ગંભીર ક્ષતિઓ બહાર આવતા બે જાણીતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે અને શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

AMC ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન વસ્ત્રાલમાં આવેલી ‘ભૈરવનાથ પંજાબી તડકા’ નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. આ એકમમાં પનીરના પ્રકાર અંગેનું ફરજિયાત ડિસ્પ્લે કાર્ડ નહોતું અને તેની પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નહોતું. બીજી તરફ, નવરંગપુરા પોલિટેકનિક પાસે આવેલી ‘પંજાબ દી મહેક’ રેસ્ટોરન્ટના રસોડામાં અત્યંત ગંદકી અને જીવાત જોવા મળતા, અનહાઇજેનિક કન્ડિશનને કારણે તેને પણ તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવ્યા છે.

ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, ગોતા વિસ્તારમાં વિશ્વાસ સીટી-6 માં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડાની રાધે ડેરીમાંથી 104 કિલો મળી કુલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર મિલ્ક પનીરને બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તો તેણે મેનૂ કાર્ડ પર ગ્રાહકોને સ્પષ્ટપણે જાણ કરવી પડશે.પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ગેરમાર્ગે દોરનારા એકમો વિરુદ્ધ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ તેજ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...