Wednesday, January 14, 2026

અમદાવાદીઓ આનંદો : AMC સંચાલિત કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ હવે નાના પ્રોગ્રામો માટે 6 કલાક માટે ભાડે અપાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં હવે પાર્ટ ટાઈમ હોલ ભાડે આપવાની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. હોલનું ભાડું પ્રવર્તમાન દરના 50 ટકા જેટલું ચૂકવવાનું રહેશે.જેને લઈને હવે કોર્પોરેશન સંચાલિત હોલ, ઓડિટોરિયમ, પિકનિક હાઉસ અને પાર્ટી પ્લોટ હવે આખા દિવસની જગ્યાએ છ કલાક માટે પણ ભાડે આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલને હવે 6 કલાક માટે ભાડે આપવાની નીતિને આજે મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી નીતિ મુજબ હવેથી બર્થ ડે પાર્ટી, કિટ્ટી પાર્ટી, પેન્શનરોની મીટીંગ, સિનિયર સીટીઝન મીટીંગ, પ્રદર્શનો, ધાર્મિક પ્રસંગો અને કોર્પોરેટ મીટીંગ વગેરે તેમાં યોજી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલનું ભાડું જે અત્યારે ભાડું છે તેના કરતાં 50 ટકા લેવામાં આવશે.જ્યારે ડિપોઝિટ સો ટકા ભરવાની રહેશે.વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ મુજબ લેવામાં આવશે સવારે 8 થી બપોરે 2 અને સાંજે વાગ્યા સુધી ભાડે મેળવી શકશે. એક મહિના પહેલા લોકોએ મેળવવા માટે બુકિંગ કરાવવાનું રહેશે.

જોકે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈપણ પ્રકારનો જમણવાર તેમાં યોજી શકાશે નહીં માત્ર બહારથી હળવો નાસ્તો લાવીને કરી શકાશે. ઝોનના સિવિક સેન્ટર ઉપર આ માટે ડિપોઝિટ અને ભાડું ભરી અને નોંધણી કરાવી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલ ભાડે આપવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...