Wednesday, September 17, 2025

અમદાવાદીઓ આનંદો : AMC સંચાલિત કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ હવે નાના પ્રોગ્રામો માટે 6 કલાક માટે ભાડે અપાશે

Share

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં હવે પાર્ટ ટાઈમ હોલ ભાડે આપવાની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. હોલનું ભાડું પ્રવર્તમાન દરના 50 ટકા જેટલું ચૂકવવાનું રહેશે.જેને લઈને હવે કોર્પોરેશન સંચાલિત હોલ, ઓડિટોરિયમ, પિકનિક હાઉસ અને પાર્ટી પ્લોટ હવે આખા દિવસની જગ્યાએ છ કલાક માટે પણ ભાડે આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલને હવે 6 કલાક માટે ભાડે આપવાની નીતિને આજે મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી નીતિ મુજબ હવેથી બર્થ ડે પાર્ટી, કિટ્ટી પાર્ટી, પેન્શનરોની મીટીંગ, સિનિયર સીટીઝન મીટીંગ, પ્રદર્શનો, ધાર્મિક પ્રસંગો અને કોર્પોરેટ મીટીંગ વગેરે તેમાં યોજી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલનું ભાડું જે અત્યારે ભાડું છે તેના કરતાં 50 ટકા લેવામાં આવશે.જ્યારે ડિપોઝિટ સો ટકા ભરવાની રહેશે.વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ મુજબ લેવામાં આવશે સવારે 8 થી બપોરે 2 અને સાંજે વાગ્યા સુધી ભાડે મેળવી શકશે. એક મહિના પહેલા લોકોએ મેળવવા માટે બુકિંગ કરાવવાનું રહેશે.

જોકે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈપણ પ્રકારનો જમણવાર તેમાં યોજી શકાશે નહીં માત્ર બહારથી હળવો નાસ્તો લાવીને કરી શકાશે. ઝોનના સિવિક સેન્ટર ઉપર આ માટે ડિપોઝિટ અને ભાડું ભરી અને નોંધણી કરાવી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલ ભાડે આપવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...