અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, વાડજ અને સોલા સહિતના વિસ્તારોમાં અનેક હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટાભાગની સોસાયટીઓમાં ગેરકાયદે વધારાના બાંધકામો રીડેવપમેન્ટમાં સૌથી મોટા વિલન તરીકે સાબિત થઈ રહ્યા છે.
હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં તમામ મકાનો ગ્રાઉન્ડ ફલોર પ્લસ 2 એમ કુલ ત્રણ માળના છે.એટલે કે 33 ટકા ગ્રાઉન્ડ ફલોર,33 ટકા ફસ્ટ ફલોર અને 33 ટકા સેકન્ડ ફલોર પર આવેલ છે.
ગ્રાઉન્ડ ફલોરની વાત કરીએ તો મકાન અને દુકાનદારો 33 ટકા જમીન પર વધારાના ગેરકાયદે બાંધકામ કરીને વિરોધ કરે તો નિયમ મુજબ 75 ટકા સંમતિ મેળવી અઘરી થઈ જાય છે અને રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકે છે.
રીડેવલપમેન્ટના એક્સપર્ટના મત મુજબ, 33 ટકા જમીન ઉપર મકાનો અને દુકાનો વાળા કબજાે કરી ગેરકાયદેસર વધારાના બાંધકામ કરી બેઠેલા છે.તેમની સામે સરકાર અને તંત્ર લાલ આંખ કરે તો લેન્ડ ગ્રેબીંગના કાયદાનું પાલન કરાવે તો રીડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે.
એક આગેવાનના મત મુજબ, સામાન્ય નાગરિકોમાં રીડેવલપમેન્ટમાં અપૂરતુ જ્ઞાન અને લાલચના કારણે 33 ટકા ગ્રાઉન્ડ ફલોર ઉપર રહેલા અને ગેરકાયદે બાંધકામ કરી અડ્ડો જમાવી બેસેલ દુકાનદારો લોભામણી અને લાલચો વાળી વાર્તાઓ કરી અન્ય સભ્યોને ગેરમાર્ગે દોરે છે.
એક દુકાનદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં સંમતિ રહીશો આપી દે છે. પરંતુ દુકાનદારો એટલે વિરોધ કરે છે કે તેમનો ધંધો બંધ થઈ જાય છે, બીજી જગ્યાએ કે નજીકમાં ફરીથી જુના ધંધાનો સ્થાપવું અઘરુ થઈ શકે છે.લોકો ગેરમાર્ગે દોરતા હોવા છતાં અંગત સ્વાર્થે પણ દુકાનદારો રીડેવલપમેન્ટનો વિરોધ કરતા હોય છે.
છેલ્લે સમજવાની વાત કરીએ તો 2 મીટરના કાપડમાંથી 3 વ્યક્તિઓના ઝભ્ભા સિવાય નહી એ દરેક સભ્યે સમજવું જાેઈએ…


