Monday, January 26, 2026

અમદાવાદમાં ઠેર ઠેર આચારસંહિતાનો ભંગ : ચૂંટણી જાહેર થઈ છતાં હજુ અનેક જગ્યાએ ભાજપ-કોંગ્રેસના બેનરો

spot_img
Share

અમદાવાદ : જેવી ચૂંટણીની જાહેરાત થાય છે તેજ દિવસે આચારસંહિતાનો અમલ શરૂ થઇ જાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના 6 દિવસ ચુક્યા છે. ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં જાહેર સ્થળ પરથી રાજકીય પક્ષોના બેનર ઉતારી લેવામાં આવ્યા છે છતાં અમદાવાદમાં હજુ અનેક જાહેર સ્થળ પર રાજકીય પક્ષોના બેનર લાગેલા છે. જેમાં કેટલાક બેનરમાં ચૂંટણી ઢંઢેરા પણ રાખવામાં આવ્યા છે.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જાહેર સ્થળોએ તથા જાહેરાતના બોર્ડ પર ભાજપ-કોંગ્રેસના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી જાહેર થઈ છતાં હજુ અનેક જગ્યાએ બેનર લાગેલા જ છે. રાજકીય પક્ષના બેનરમાં અલગ અલગ જાહેરાત પણ લખવામાં આવી છે. એરપોર્ટ સર્કલ, ઇન્કમટેક્ષ, શિવરંજની બ્રિજ, હેલ્મેટ સર્કલ સહિત અનેક જગ્યાએ રાજકીય પક્ષના બેનર લગાવવામાં આવેલા છે. જોકે, ચૂંટણી જાહેર થઈ છતાં બેનર નીકળવામાં ના આવતા આચારસંહિતાનો ભંગ થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...