Thursday, November 13, 2025

બેવડી ઋતુ ઇફેક્ટ : અમદાવાદમાં રોગચાળો વકર્યો, તાવ, શરદી, ખાંસીના વાયરલ કેસો વધ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બેવડી ઋતુ શરૂ થઈ છે ત્યારે શહેરમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. શહેરમાં ઘરે ઘરે શરદી, તાવ અને ઉધરસના કેસો પણ એક અઠવાડિયામાં વધી ગયા છે.ચાલુ મહિનામાં માત્ર 12 દિવસમાં ઝાડા ઉલ્ટીના 285, ટાઇફોઇડના 216 અને ડેન્ગ્યુના 180 જેટલા કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં પાણીજન્ય રોગોમાં અચાનક વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઈફોડના કેસોની સાથે તાવ શરદી અને ખાંસીના વાયરલ કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. રોગચાળો ફરી એકવાર શહેરમાં વકર્યો છે જેને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં 12 નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 285, ટાઈફોઈડના 216 અને કમળાના 163 કેસો નોંધાયા છે. એક અઠવાડિયામાં ડેન્ગ્યુ કરતા મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 180, મેલેરિયાના 29, ચિકનગુનિયાના 14 અને ઝેરી મેલેરિયા 10 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ મહિનામાં 12 દિવસમાં માત્ર 7 જ કેસો નોંધાયા છે. શિયાળાની શરૂઆત થઈ છે જોકે સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને શરદી-ખાંસી તેમજ તાવનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...