Monday, November 3, 2025

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના આયોજનને લઈને વિપક્ષના નેતાએ ચિંતા વ્યકત કરી

Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 યોજવાની AMC તંત્ર દ્વારા જાહેરાત કર વામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો પણ યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં 25 લાખથી વધુ લોકો ભાગ લેશે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ભીડ ભેગી થાય છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા હોય છે.ત્યારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોરોનાને ધ્યાનમાં રાખી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે.

અમદાવાદમાં બે વર્ષ બાદ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે.આ વર્ષે AMCએ પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોરોનાને ધ્યાનમાં રાખી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે. અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...