Tuesday, February 10, 2026

પાક્કો અમદાવાદી : આ વિસ્તારમાં ચાનું વિતરણ કરાય છે અનોખા વેફર કપમાં, ચા પીધા પછી વેફર કપ ખાઈ શકાશે

spot_img
Share

અમદાવાદ : આગામી 20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે. જેને લઇને વેપારીઓ અલગ અલગ વિકલ્પ અપનાવતા થઇ ગયા છે. મોટાભાગના ટી સ્ટોલના માલિકોએ માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિકલ્પ શરૂ કરી દીધા છે, ત્યારે પાક્કો અમદાવાદી વેપારીએ સૌથી અનોખો વિકલ્પ વેફર કપનો અપનાવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આવો એક યુનિક આઈડિયા અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલ 51 વર્ષ જુના ન્યુ લકી ટી સ્ટોલના માલીક રાહુલ મિશ્રાએ અપનાવ્યો છે. જેમાં માટીના કુલ્હડ ઉપરાંત સ્ટીલના ગ્લાસતો અપાય જ છે, પણ સૌથી અનોખો વિકલ્પ વેફર કપનો છે. અને એ પણ જુદા જુદા ત્રણ પ્રકારના ફ્લેવર ધરાવતા વેફર કપ. જેમાં ચા પી લીધા બાદ તે કપને તમે ખાઇ પણ શકો છો.વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પી જવી પડશે.

સામાન્ય રીતે મોટાભાગના ટી સ્ટોલના માલિકોએ માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિકલ્પ શરૂ કરી દીધા છે, પરંતુ અહીંયા તો વેફર કપ બન્યા છે નવો વિકલ્પ. અને એ પણ ફ્લેવર વાળા વેફર કપ.લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.10 થી 12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે. કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...