Thursday, September 18, 2025

શું તમારે ધોરણ 10માં 90 ટકાથી વધારે માર્ક્સ લાવવા છે ? આજે જ અમલમાં મુકો સફળ થવાની સાત ટીપ્સ

Share

Share

અમદાવાદ : ધોરણ 10 અને 12ની બોર્ડની exam આગામી માર્ચ મહિનાથી યોજાવાની છે. જેથી હવે વિદ્યાર્થીઓ પાસે તૈયારીઓ માટે ખુબ જ ઓછો સમય રહ્યો છે. છતાં ગુજરાત બોર્ડની examમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં 90 ટકાથી વધારે માર્કસ લાવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુબજ મહત્વની સાબિત થશે.

વિદ્યાર્થીના કારકિર્દીના ઘડતર માટે ધોરણ 10એ પ્રથમ પગથિયું છે. ધોરણ 10ના પરિણામો બાદ જ વિદ્યાર્થીઓ કઈ દિશામાં પોતાનુ કેરિયર બનાવવું છે તે નક્કી કરતો હોય છે. તેને સાયન્સ સ્ટ્રીમ લઈને મેડિકલ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે કે, કોમર્સ લઈને બિઝનેસ ફિલ્ડમાં જવું છે કે પછી આર્ટ્સ વિષય પસંદ કરીને પોતાની કારકિર્દી બનાવવી છે તે નક્કી કરતો હોય છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 10માં 90 ટકા માર્કસ મેળવવા માટે મહેનત કરી રહ્યાં છે તેઓ માટે education expertની આ સાત ટીપ્સ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

01: કોઈ પણ વિષયની તૈયારી કરવા માટે અભ્યાસક્રમને સમજવો ખુબ જરુરી છે. વિષયના દરેક ટોપીકને તેના ગુણભાર સાથે તપાસો તે પ્રમાણે તેના વાંચનની તૈયારી કરો. જે તૈયારીમાં ખુબ ઉપયોગી બનશે.

02: જે વિદ્યાર્થીઓ ગણિતમાં વધુ મહેનત કરવા માંગે છે તેઓ માટે સુત્રો સૌથી મહત્વનું પરિબળ છે. વિદ્યાર્થીઓ એક કાચી નોંધમાં તમામ સુત્રોની નોંધ કરવી જોઈએ અને તે સુત્રો દરરોજ શીખવા જોઈએ.

03: કોઈપણ વિષયમાં જવાબની ગોખણપટ્ટીથી દૂર રહેવું. સવાલના જવાબ ગોખવાની જગ્યાએ તેને સમજીને તેને યાદ રાખવાનો કોન્સેપ્ટ અપનાવો.

04: વાંચનની તૈયારી માટે એક ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને દરરોજ ફોલો કરો.

05: ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પાછલા વર્ષોની પરીક્ષાના પ્રશ્નપત્રોને સોલ્વ કરો તેની પેપર સ્ટાઈલને સમજો જે તમને આવનારી examની પધ્ધતિ સમજવામાં ખુબ મદદરુપ થશે.

06 : લખવાની પ્રેક્ટીસ, બને ત્યાં સુધી કોઈપણ સવાલના જવાબ લખવાની પ્રેક્ટીસ કરવી જોઈએ જેથી કરીને exam દરમિયાન ત્રણ કલાકનો આપવામાં આવતો સમય પ્રશ્નપત્ર લખતા સમયે ખુટે નહિ.

07 : તમારુ સ્વાસ્થ્ય, પરિક્ષાનો સમય નજીક આવી રહ્યોં છે પરંતુ તે exam આપવા માટે તમારુ સ્વાસ્થ્ય પણ એટલુ જ જરુરી છે. examના ખરા સમયે જ જો તમે બિમાર થઈ ગયા તો.. તો તમે કરેલી બધી જ મહેનત પર પાણી ફરી જશે. જેથી મહેનતની સાથે પુરતી ઉંઘ લો. સ્વાસ્થ્ય વર્ધક ખોરાક આરોગો. બીનજરુરી ફાસ્ટ ફુડ ખાવાનું ટાળવું જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...