Friday, February 6, 2026

મોટા સમાચાર – 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકારનું રજૂ થશે બજેટ, 23મીથી બજેટ સત્ર શરુ

spot_img
Share

રાજ્ય સરકારનું બજેટ સત્ર 23મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું ત્યારે 24 તારીખના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે સૌ કોઈની નજર બજેટ પર છે. વી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ સત્ર મળશે. આ વખતે સૌથી વધુ બજેટ રજૂ થાય તેવી શક્યતાઓ છે એટલે કે, આ વખતનું ઐતિહાસિક બજેટ હશે. જો કે, બજેટ સત્રને લઈને ડીસેમ્બરથી જ સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન માટે વરિષ્ઠ મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. આ બજેટ સત્રમાં રાજ્યપાલને સંબોધવા માટે ખાસ વરિષ્ઠ મંત્રીઓની એક સમિતિની રચનાને લઈ તૈયારીઓ પણ કરી લીધી છે.

બીજીવાર નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે 

નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી મળવા જઈ રહ્યું છે તેના એક દિવસ બાદ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં આ વખતે મોટી જોગવાઈની આશા છે ત્યારે ગત વખતે પ્રથમ વખત બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.  ભાજના સૌથી વરિષ્ઠ નેતા છે. તેમના વિભાગ દ્વારા વિધાનસભામાં જીત બાદ બજેટ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

આ બજેટ મોટી જીત બાદ મહત્વનું 
આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરકારે કેટલાક કામોને લઈને વચનો આપ્યા છે. જેથી આ બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવી શકે છે. સરકાર તરફથી બજેટની તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે.

બજેટમાં શિક્ષણ, રોજગારી અને ખેતી પર ફોકસ 
2023-24ના બજેટમાં શિક્ષણ, રોજગારી અને ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે. જેથી આ વિભાગોની મહત્વની બેઠકો અગાઉ  મંત્રીઓની અધ્યક્ષતામાં મળી હતી. તાજેતરમાં જ કૃષિ મંત્રીએ કિશાન મોરચા સાથે પણ બેઠકો કરી હતી. આ સાથે રાજ્ય સરકાર હાલમાં કયા નવા કાયદા બનાવવા જોઈએ અને જૂના કાયદાઓમાં કયા સુધારા કરવા જોઈએ તેનો અભ્યાસ કરી રહી છે. સમગ્ર મામલે નવી કમિટીની રચના કરવામાં આવશે અને નવા નિર્ણયો પણ લઈ શકાશે.

29 માર્ચ સુધી સત્ર ચાલશે
29 માર્ચ સુધી સત્ર ચાલશે. 25 દિવસ  સુધી વિધાનસભા સત્રની કામગિરી રહેશે. ત્યારે આ વખતે ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે તેમાં કોંગ્રેસને 17 અને 5 બેઠકો આપને મળી છે ત્યારે વિપક્ષ તરીકે આ વખતે કોંગ્રેસ બેસશે કે કેમ તેને લઈને પણ સવાલો છે. કેમ કે, નિયમ અનુસાર તેમની સીટો ટકાવારી પ્રમાણે ઓછી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...