Tuesday, February 17, 2026

AMCનું ઐતિહાસિક મેગા સિલિંગ : અમદાવાદમાં એક જ દિવસમાં 4564 મિલકતોને સીલ કરાઈ, સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ ન ભરનારા લોકોની મિલકતો સીલ કરવાની ઝુંબેશ અંતર્ગત આજે ટેક્સ વિભાગે ઐતિહાસિક સિલિંગ કર્યું છે. એક જ દિવસમાં કુલ 4564 મિલકતો અને સીલ કરી 15 કરોડની ટેક્સની આવક મેળવી છે. વ્યાજ માફીની યોજના સ્કીમ અંતર્ગત છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 37 કરોડની ટેક્સની આવક થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં મેગા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં અનેક મિલકતો જેમાં હોટલ, ઓફિસ, શો રૂમ સહિતના મોટા કોમ્પ્લેક્સ અને દુકાનો વગેરેને સીલ કરવામાં આવી હતી. વહેલી સવારે 7 વાગ્યાથી આ મેગા ઝુંબેશ શરૂ થઈ હતી. એક જ દિવસમાં 4564 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે ટેક્સ વિભાગની પ્રક્રિયા માટે પહોંચે ત્યારે ત્યાં જ સ્પોટ ટેક્સ ભરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1761 મિલકત સીલ કરવામા આવી હતી.જેની સામે રુપિયા 4.15 કરોડની આવક થવા પામી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 739 મિલકત સીલ કરવાની સાથે રુપિયા 3.9 કરોડની બાકી મિલકતવેરાની વસૂલાત કરવામાં આવી હતી.

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા પાર્ક એવન્યુ,ડોકટર હાઉસ સુમેરુ ટાવર સહિતના વિસ્તારોમાં કુલ મળીને 301 મિલકત, એક્રોસ, સુપર મોલ,ઈસ્કોન આર્કેડ સહિતના વિસ્તારોમાં 353 મિલકત બાકી વેરાની વસૂલાત માટે સીલ કરાઈ હતી.ફેરડીલ હાઉસ તથા સીટી સેન્ટર સહીતના વિસ્તારોમાં 386 મિલકત સીલ કરવામાં આવી હતી.રત્નહાઈટસ અને અંકુર શોપીંગ સેન્ટર સહિતના વિસ્તારોમાં કુલ 145 મિલકત વેરા વસૂલાત માટે સીલ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...