Monday, November 17, 2025

અમદાવાદમાં ટ્રાફિકના 600 પોલીસ અધિકારી-કર્મચારીઓનું બોડી ચેકઅપ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓનો ફિટનેસ માટે રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસના જવાનોનો ફૂલ બોડી ચેકઅપ માટેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલ કેમ્પમાં 4 દિવસ સુધી 600થી વધુ ટ્રાફિક પોલીસના જવાનોનો રિપોર્ટ કરવામાં આવશે.

અમદાવાદ પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા DCP, ACP, PI, PSI સહિત 600 પોલીસકર્મીઓનો ફૂલ બોડી રિપોર્ટ કાઢવવામાં આવશે. બાપુનગરની સ્ટાર હોસ્પિટલ દ્વારા પોલીસના વિના મૂલ્યે અલગ અલગ રિપોર્ટ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજે 300થી વધુ પોલીસકર્મીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. બ્લડ કાઉન્ટ, યુરિન, લીવર, કોલસ્ટ્રોલ, હાર્ટ અને ઓબેસિટી ચકાસવા માટેના પોલીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આ અંગે ટ્રાફિક પૂર્વના DCP સફિન હસને જણાવ્યું હતું કે પોલીસ જવાન 8 કલાક ઉભા રહીને ફરજ બજાવે છે. પોલીસકર્મીઓ માટે સ્ટાર હોસ્પિટલ દ્વારા રિપોર્ટ કઢાવવા પહેલ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ કેટલા ફિટ છે તે પણ જાણી શકાશે. કોઈ પોલીસકર્મીને તકલીફ હશે તો તેનો અમે સાથે મળીને ઈલાજ કરાવીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...