Monday, March 2, 2026

સિંહ દર્શનનું ઓનલાઈન બુકિંગ કરતા પહેલા સાવધાન : વનવિભાગે પ્રવાસીઓને કર્યા એલર્ટ

spot_img
Share

જૂનાગઢ : જુનાગઢના સાસણગીરમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારો સંખ્યામાં પ્રવાસી લોકો આવે છે. અને સિંહ દર્શન સફારીનો આનંદ માને છે, સાસણ ઉપરાંત દેવળીયા, આંબરડી અને ગીરનાર નેચરની પણ મોટી સંખ્યામાં લોકો પ્રવાસે આવે છે.

જૂનાગઢ વનવિભાગે જણાવ્યું છે કે ગીર જંગલ સફારી, દેવળીયા જીપ્સી સફારી, દેવળીયા બસ સફારી, આંબરડી અને ગીરનાર નેચરના બુકિંગ માટે HTTPS://girlion.gujarat.gov.in એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. આ સિવાય કોઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ થતું નથી. અન્ય વેબસાઈટ ફ્રોડ પણ હોઈ શકે છે જેથી પ્રવાસીઓએ બુકિંગ કરાવતા પહેલા ખરાઈ કરવી જરુરી છે.

ઉલ્લેખનીય છે કે લોકો સિંહ દર્શન માટે ક આ અન્ય જગ્યા એ ફરવા જવાનો પ્લાન બનાવે છે ત્યારે મોટા ભાગે લોકો ઓનલાઇન બુકિંગ કરાવે છે, પરંતુ કેટલીક વેબસાઈટ દ્વારા સિંહ દર્શનના નામે બુકિંગ કરાતું હોવાનું અને કેટલાક પ્રવાસીઓ ફ્રોડ વેબસાઈટનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વનવિભાગે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે.

વનવિભાગ મુજબ સાસણની ઓફિશિયલ વેબસાઈટ જેવી જ ભળતી વેબસાઈટ પર બુકિંગ કરાવી કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા. જો કે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓને ખબર પડી હતી કે તેઓનું બુકિંગ થયું જ નથી. જેથી વનવિભાગ દ્વારા જે તે પ્રવાસીઓને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...