Monday, November 10, 2025

સિંહ દર્શનનું ઓનલાઈન બુકિંગ કરતા પહેલા સાવધાન : વનવિભાગે પ્રવાસીઓને કર્યા એલર્ટ

spot_img
Share

જૂનાગઢ : જુનાગઢના સાસણગીરમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારો સંખ્યામાં પ્રવાસી લોકો આવે છે. અને સિંહ દર્શન સફારીનો આનંદ માને છે, સાસણ ઉપરાંત દેવળીયા, આંબરડી અને ગીરનાર નેચરની પણ મોટી સંખ્યામાં લોકો પ્રવાસે આવે છે.

જૂનાગઢ વનવિભાગે જણાવ્યું છે કે ગીર જંગલ સફારી, દેવળીયા જીપ્સી સફારી, દેવળીયા બસ સફારી, આંબરડી અને ગીરનાર નેચરના બુકિંગ માટે HTTPS://girlion.gujarat.gov.in એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. આ સિવાય કોઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ થતું નથી. અન્ય વેબસાઈટ ફ્રોડ પણ હોઈ શકે છે જેથી પ્રવાસીઓએ બુકિંગ કરાવતા પહેલા ખરાઈ કરવી જરુરી છે.

ઉલ્લેખનીય છે કે લોકો સિંહ દર્શન માટે ક આ અન્ય જગ્યા એ ફરવા જવાનો પ્લાન બનાવે છે ત્યારે મોટા ભાગે લોકો ઓનલાઇન બુકિંગ કરાવે છે, પરંતુ કેટલીક વેબસાઈટ દ્વારા સિંહ દર્શનના નામે બુકિંગ કરાતું હોવાનું અને કેટલાક પ્રવાસીઓ ફ્રોડ વેબસાઈટનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વનવિભાગે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે.

વનવિભાગ મુજબ સાસણની ઓફિશિયલ વેબસાઈટ જેવી જ ભળતી વેબસાઈટ પર બુકિંગ કરાવી કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા. જો કે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓને ખબર પડી હતી કે તેઓનું બુકિંગ થયું જ નથી. જેથી વનવિભાગ દ્વારા જે તે પ્રવાસીઓને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...