Tuesday, September 16, 2025

અમદાવાદમાં તમામ મેટ્રો સ્ટેશન પર શરુ થશે ફૂડ કોર્ટ, ચા થી લઈ હળવો નાસ્તો મળશે

Share

Share

અમદાવાદ : નાસ્તાના શોખીન અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેટ્રો સ્ટેશન પર હવે મુસાફરો નાસ્તાની જ્યાફત માણી શકશે. અમદાવાદ મેટ્રો રેલ સ્ટેશનમાં ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.

ટીવી અહેવાલ મુજબ દિલ્લીની જેમ અમદાવાદના મેટ્રો રેલ સ્ટેશનમાં પણ ફૂડ કોર્ટની સુવિધાનો ઉમેરો કરવામાં આવશે. મેટ્રોના તમામ 32 સ્ટેશનમાં ફુડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં કરવામાં આવી રહી છે.ફૂ઼ડ સ્ટોલમાં ચા-કોફી-કોલ્ડ્રિન્કસ તેમજ હળવો નાસ્તો મળી રહેશે. જોકે ખાણી-પીણીની ચીજવસ્તુઓ મેટ્રોમાં લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની 4થી અને અંતિમ મેચનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે ત્યારે આ બોર્ડર -ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9મી માર્ચના રોજ અમદાવાદમાં રમાવાની છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મેટ્રો ટ્રેન અને BRTSની બસ સેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...