Wednesday, February 11, 2026

હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને મહત્વના સમાચાર, નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટના 32 સભ્યોને બિલ્ડર દ્વારા ભાડાના ચેકો અપાયા

spot_img
Share

અમદાવાદ : હાઉસીંગ રીડેવલપમેન્ટને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, નારણપુરાના રામેશ્વર એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રક્રિયાના ભાગરૂપે બિલ્ડર દ્વારા જે સભ્યોએ હાલ મકાન ખાલી કરી બિલ્ડરને સોંપણી કરી છે અને ચાવી બિલ્ડરને સોંપી છે, તેવા 32 સભ્યોને ભાડા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એડવાન્સ ભાડા પેટે રૂપિયા 54,000 (18000×3મહીના=54000 તથા ચોથા મહીનેથી ઓનલાઈન ટ્રાંન્સફર થશે) તથા ટ્રાન્સપોર્ટેશન પેટે રૂપિયા 20,000 એમ કુલ રૂપિયા 74,000ના કુલ 2 ચેક આપવામાં આવેલ છે. ચેક મેળવનાર દરેક સભ્યને પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટના ભાગરૂપે રોજ 1થી 2 મકાન ખાલી થઈ રહ્યા છે.

આ અંગે સંદિપ ત્રિવેદીએ (પ્રમુખ, રામેશ્વર એપા.એસો.)જણાવ્યું હતું કે, રામેશ્વર એપાર્ટમેન્ટના બધા જ રહીશનો આભાર કે તેઓએ એસોસીએશન ટીમ પર ભરોસો રાખ્યો અને દરેક પરિસ્થિતીમાં સાથ સહકાર આપ્યો. એસોસીએશન ટીમ તથા ગુ.હા.બોર્ડના અધીકારીઓ અને બિલ્ડરનો સકારાત્મક અભીગમ રહ્યો, આ બધા જ આ સફળતાના હક્કદાર છે. આ સફળતા તેઓથી જ મળેલ છે અને તેમના શીરે છે. આ ઉપરાંત આ ગ્રુપના આપ સહુ મિત્રોનો પણ આભાર કે સમયે સમયે માર્ગદર્શન અને સહકાર આપે આપ્યો છે. રામેશ્વર એપાર્ટમેન્ટની સફળતા પાછળ આપ સહુ હાઉસિંગના રહીશોનો તથા સ્થાનીક-રાજકીય આગેવાનો નો પણ મહત્વનો રોલ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...