Saturday, March 14, 2026

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 14 માર્ચ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ટ્રક અને બસના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં

ઘટના 1
ઘાટલોડિયામાં રહેતા મુકેશલાલ પ્રજાપતિ કડિયા કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજના સમયે બાઈક લઈને સિંધુભવન રોડ તાજ હોટલથી પકવાન ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી બસે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી મુકેશભાઈને જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન મુકેશભાઈનું મોત નિપજ્યુ હતુ.

ઘટના 2
લાંભા ગામમાં રહેતા જગદીશભાઈ રાજપુત તેમના મિત્ર સોયબ ઉર્ફે બાબુ યામીન કુરેશી સાથે બાઈક લઈને દાણીલીમડા આવ્યા હતા. રાત્રીના સમયે પરત લાંભા જઈ રહ્યા હતા તે સમયે લાંભા ચાર રસ્તા પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી બન્ને જમીન પર પટકાતા ગંભીરી રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન સોયબ ઉર્ફે બાબુ કુરેશીનું મોત નિપજ્યુ હતું.

ઘટના 3
અમરાઈવાડીમાં રહેતા સાગરભાઈ ઠાકોર પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. સોમવારે બપોરના સમયે બાઈક લઈને સાગરભાઈ કાઝીપુરા ગામ ખાતે જવા માટે નિકળ્યા હતા. તે સમયે નારોલ બ્રીજથી વિશાલા તરફ જવાના રોડ પર બેફામ રીતે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે સાગરભાઈનું મોત નિપજ્યુ હતુ.

ઘટના 4
ઓઢવના હરીધામ એસ્ટેટમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા મોહનલાલ ઉર્ફે અર્જુન ઠાકોર સોમવારે ઓઢવ ગુરુદ્વારા રોડ મંગલમ સાસાયટી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બેફામ રીતે આવેલા એક આઈસર ટ્રકે મોહનલાલને અડફેટે લીધા હતા. જેથી હવામાં 8 ફૂટ ફંગોળાઈને મોહનલાલ જમીને પટકાઈ પડતા ઘટના સ્થળે જ તેમનુ મોત નિપજ્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...