Monday, June 8, 2026

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 14 માર્ચ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે, ગઈકાલે અલગ-અલગ જગ્યા પર બનેલી રોડ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ટ્રક અને બસના કારણે મોત થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલ તો ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ શહેરની અંદર ફરી રહેલા મોટા વાહનોના કારણે આવા અકસ્માતો સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે જેમાં

ઘટના 1
ઘાટલોડિયામાં રહેતા મુકેશલાલ પ્રજાપતિ કડિયા કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજના સમયે બાઈક લઈને સિંધુભવન રોડ તાજ હોટલથી પકવાન ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી બસે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી મુકેશભાઈને જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન મુકેશભાઈનું મોત નિપજ્યુ હતુ.

ઘટના 2
લાંભા ગામમાં રહેતા જગદીશભાઈ રાજપુત તેમના મિત્ર સોયબ ઉર્ફે બાબુ યામીન કુરેશી સાથે બાઈક લઈને દાણીલીમડા આવ્યા હતા. રાત્રીના સમયે પરત લાંભા જઈ રહ્યા હતા તે સમયે લાંભા ચાર રસ્તા પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી બન્ને જમીન પર પટકાતા ગંભીરી રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. જેથી આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન સોયબ ઉર્ફે બાબુ કુરેશીનું મોત નિપજ્યુ હતું.

ઘટના 3
અમરાઈવાડીમાં રહેતા સાગરભાઈ ઠાકોર પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. સોમવારે બપોરના સમયે બાઈક લઈને સાગરભાઈ કાઝીપુરા ગામ ખાતે જવા માટે નિકળ્યા હતા. તે સમયે નારોલ બ્રીજથી વિશાલા તરફ જવાના રોડ પર બેફામ રીતે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે સાગરભાઈનું મોત નિપજ્યુ હતુ.

ઘટના 4
ઓઢવના હરીધામ એસ્ટેટમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા મોહનલાલ ઉર્ફે અર્જુન ઠાકોર સોમવારે ઓઢવ ગુરુદ્વારા રોડ મંગલમ સાસાયટી પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બેફામ રીતે આવેલા એક આઈસર ટ્રકે મોહનલાલને અડફેટે લીધા હતા. જેથી હવામાં 8 ફૂટ ફંગોળાઈને મોહનલાલ જમીને પટકાઈ પડતા ઘટના સ્થળે જ તેમનુ મોત નિપજ્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...