Wednesday, February 11, 2026

શું તમે કેનેડા જવાનું વિચારો છો ? છેતરપિંડીથી બચવા આટલું ધ્યાન રાખો

spot_img
Share

ટોરેન્ટો : કેનેડા હાલમાં ભારતીયો માટે ફેવરેટ દેશ બની ગયો છે. અત્યારે ખાસ કરીને ગુજરાતમાં તો કેનેડા જવા માટે લાઈનો લાગી રહી છે. હાલમાં કેનેડા માટે સરળતાથી વીઝા મળી જતા હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, કેનેડાના વીઝાના નામે ફ્રોડની પણ ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે કેનેડા જવા ઈચ્છતા લોકોએ છેતરપિંડીથી બચવા શું કરવું તેના માટે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કેનેડાની સરકારે પણ તે અંગે પોતાની વેબસાઈટ પર વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. કેનેડા માટે વીઝા પ્રોસેસ કરતા પહેલા એ માહિતી જાણી લેશો તો મોટી છેતરપિંડી અને આર્થિક નુકસાનથી બચી જશો.

રાજ્યભરમાંથી કેનેડામાં મોટી સંખ્યામા લોકો જઈ રહ્યા છે. બીજી તરફ અવાનવાર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિઝાને લગતા નિયમોની જાણકારી ગુજરાતીમાં આપવાનું શરુ કર્યુ છે.

https://www.canada.ca/en/immigration-refugees-citizenship/campaigns/before-apply-india-gu.html

આ પહેલા આ નિયમોની ઈંગ્લિશ, હિન્દી તેમજ પંજાબીમાં જ જાણકારી આપવામાં આવતી હતી પણ હવે કેનેડાની સરકારે ગુજરાતીઓની સંખ્યાને ધ્યાને રાખી ગુજરાતી ભાષામાં નિયમો આપવાનું નક્કી કર્યુ છે. કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તેમજ ફેમિલી માટે નિયમોની જાણકારી આપી છે.

જેમા ૧ કેનેડામાં પ્રવાસ માટે નિયમો ૨. વિઝા માટે એજન્ટોની યાદી ૩. વિઝા અરજીની ફી અંગેની જાણકારી ૩. કેનેડામાં નોકરી આપવાના ફ્રોડની અંગેની માહિતી જેવી જાણકારી વેબસાઈટ પર આપવાનુ શરુ કર્યુ છે. ગુજરાતના કચ્છના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા તેમજ ફ્રેન્ડઝ ઓફ ગુજરાત,

કેનેડાના સ્થાપક હેમંતભાઈ શાહે જણાવ્યું કે કેનેડામા હવે ગુજરાતમાંથી વધુ લોકો આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કેનેડા સરકારે વિઝાના નિયમો જે પણ કેનેડા જવા ઇચ્છુંક હોય તે લોકો માટે વેબસાઈટ પર મુક્યા છે.

તેમણે કહ્યુ કે પહેલા કેનેડા સરકારી વેબસાઈટ પર રિજનલ ભાષામાં ફ્કત પંજાબી જ ભાષા હતી પણ ત્યાના અધિકારીઓને ધ્યાનમાં આવ્યુ કે ગુજરાતમાંથી પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસનલ અને ફેમિલી કેનેડા આવે છે. આ માટે ત્યાની સરકારે ગુજરાતી ભાષામાં નિયમોની જાણકારી આપવાનુ શરુ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...