Monday, November 10, 2025

શું તમે કેનેડા જવાનું વિચારો છો ? છેતરપિંડીથી બચવા આટલું ધ્યાન રાખો

spot_img
Share

ટોરેન્ટો : કેનેડા હાલમાં ભારતીયો માટે ફેવરેટ દેશ બની ગયો છે. અત્યારે ખાસ કરીને ગુજરાતમાં તો કેનેડા જવા માટે લાઈનો લાગી રહી છે. હાલમાં કેનેડા માટે સરળતાથી વીઝા મળી જતા હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, કેનેડાના વીઝાના નામે ફ્રોડની પણ ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે કેનેડા જવા ઈચ્છતા લોકોએ છેતરપિંડીથી બચવા શું કરવું તેના માટે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કેનેડાની સરકારે પણ તે અંગે પોતાની વેબસાઈટ પર વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. કેનેડા માટે વીઝા પ્રોસેસ કરતા પહેલા એ માહિતી જાણી લેશો તો મોટી છેતરપિંડી અને આર્થિક નુકસાનથી બચી જશો.

રાજ્યભરમાંથી કેનેડામાં મોટી સંખ્યામા લોકો જઈ રહ્યા છે. બીજી તરફ અવાનવાર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિઝાને લગતા નિયમોની જાણકારી ગુજરાતીમાં આપવાનું શરુ કર્યુ છે.

https://www.canada.ca/en/immigration-refugees-citizenship/campaigns/before-apply-india-gu.html

આ પહેલા આ નિયમોની ઈંગ્લિશ, હિન્દી તેમજ પંજાબીમાં જ જાણકારી આપવામાં આવતી હતી પણ હવે કેનેડાની સરકારે ગુજરાતીઓની સંખ્યાને ધ્યાને રાખી ગુજરાતી ભાષામાં નિયમો આપવાનું નક્કી કર્યુ છે. કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તેમજ ફેમિલી માટે નિયમોની જાણકારી આપી છે.

જેમા ૧ કેનેડામાં પ્રવાસ માટે નિયમો ૨. વિઝા માટે એજન્ટોની યાદી ૩. વિઝા અરજીની ફી અંગેની જાણકારી ૩. કેનેડામાં નોકરી આપવાના ફ્રોડની અંગેની માહિતી જેવી જાણકારી વેબસાઈટ પર આપવાનુ શરુ કર્યુ છે. ગુજરાતના કચ્છના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા તેમજ ફ્રેન્ડઝ ઓફ ગુજરાત,

કેનેડાના સ્થાપક હેમંતભાઈ શાહે જણાવ્યું કે કેનેડામા હવે ગુજરાતમાંથી વધુ લોકો આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કેનેડા સરકારે વિઝાના નિયમો જે પણ કેનેડા જવા ઇચ્છુંક હોય તે લોકો માટે વેબસાઈટ પર મુક્યા છે.

તેમણે કહ્યુ કે પહેલા કેનેડા સરકારી વેબસાઈટ પર રિજનલ ભાષામાં ફ્કત પંજાબી જ ભાષા હતી પણ ત્યાના અધિકારીઓને ધ્યાનમાં આવ્યુ કે ગુજરાતમાંથી પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસનલ અને ફેમિલી કેનેડા આવે છે. આ માટે ત્યાની સરકારે ગુજરાતી ભાષામાં નિયમોની જાણકારી આપવાનુ શરુ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...