Thursday, September 18, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી : કિંગ કોહલી બન્યો ‘પુષ્પારાજ’, ઓસ્ટ્રેલિયાને કચડીને ભારતે દુબઈમાં ઇતિહાસ રચ્યો

Share

Share

દુબઈ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચ 4 વિકેટથી જીતીને ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. બોલરોથી લઈને બેટ્સમેન સુધી, રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.અને રવિવારે દુબઈમાં જ રમાનારા નિર્ણાયક મુકાબલામાં પ્રવેશ મેળવી લીધો હતો.

ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. દુબઈમાં રમાયેલી આ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જેમણે દબાણથી ભરેલી મધ્ય ઓવરો દરમિયાન પોતાની સ્થાયીતા જાળવી રાખી અને 84 રન બનાવ્યા.

ભારતીય ટીમે દુબઈમાં ચોથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય ઘણી હદ સુધી સારો સાબિત થયો. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ટીમ બની. આમ છતાં, તે 265 રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગયો. ભારત હવે દુબઈના મેદાન પર 250 થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017 માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાન સામે 180 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, આખી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા.

પોતાની ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેમના સિવાય ટ્રેવિસ હેડ 33 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે એલેક્સ કેરીએ 57 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો, ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...