Thursday, September 18, 2025

IND vs SA Final: ભારતે રચ્યો ઈતિહાસ, 17 વર્ષ બાદ ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન, દેશવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા

Share

Share

બાર્બાડોસ : રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે ICC ટી20 વિશ્વકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ કોઈ ICC ટ્રોફી જીતી છે. છેલ્લે ભારત 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્યું હતું. ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.

મેચની છેલ્લી 5 ઓવરમાં ભારતીય ટીમ લગભગ મેચ હારી ગઈ હતી ત્યારથી લઈને રોહિત શર્મા એન્ડ ટીમે શાનદાર પ્રદર્શન ભારતને જીતનો તાજ પહેરાવી દીધો છે.રોહિત સેનાએ બારબાડોસની ધરતી પર ભારતીય ઘ્વજ લહેરાવી જાહેર કરી દીધું છે કે રોહિત સેના છે વર્લ્ડ ચેમ્પિયન. એટલું જ નહીં પોસ્ટ મેચ શોમાં વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી છે કે આ તેનો છેલ્લો ICC ટી20 વર્લ્ડ કપ હતો. તે ભાવુક થઈ ગયો હતો અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આની સાથે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ ટીમે ઈતિહાસમાં ચોથી વાર કોઈ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે ICC ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હાર આપી છે. આ જીત સાથે જ 140 કરોડ ભારતીયોને જશ્ન મનાવવાનો મોકો મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...