Tuesday, February 10, 2026

ગુજરાત પોલીસમાં 8000 કર્મીઓની ભરતી કરાશે : હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ જાહેરાત અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવી હોય પરંતુ હાજર ન થયા હોય અથવા રાજીનામું આપનારા ઉમેદવારોની ખાલી જગ્યા વેઈટિંગમાંથી ભરવા માટે 9 એપ્રિલ પછી કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને પંચાયત પંસદગી મંડળ દ્વારા અગાઉ કરવામાં આવેલા ભરતીની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લામાંથી મંગાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં ભરતીને લઇને માગણી હતી તેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે જ પોલીસ વિભાગમાં 8 હજાર ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ ઇ વ્હીકલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જ સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતી રાખવાની કામગીરી અંગેની વાત પણ ગૃહ રાજ્ય મંત્રીએ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં થનારી ભરતીની માહિતી સામે આવી છે. જે અનુસાર બિન હથિયારી PSIમાં 325, હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6324, જેલ સિપાહી પુરુષની 678 અને જેલ સિપાહી મહિલામાં 57 સહિત કુલ 8000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ઉનાળું પત્યા બાદ શરૂ કરવામાં આવશે તેવું ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસ ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર પરીક્ષા સંબંધિત નોટિફિકેશન જાહેર કરવું જોઇએ. જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેનું ધ્યાન રાખીને જાહેરાતનું અમલીકરણ ઝડપી થવુ જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...