Monday, November 10, 2025

ગુજરાત પોલીસમાં 8000 કર્મીઓની ભરતી કરાશે : હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ જાહેરાત અંગે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવી હોય પરંતુ હાજર ન થયા હોય અથવા રાજીનામું આપનારા ઉમેદવારોની ખાલી જગ્યા વેઈટિંગમાંથી ભરવા માટે 9 એપ્રિલ પછી કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને પંચાયત પંસદગી મંડળ દ્વારા અગાઉ કરવામાં આવેલા ભરતીની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લામાંથી મંગાવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં અલગ અલગ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગમાં ભરતીને લઇને માગણી હતી તેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે જ પોલીસ વિભાગમાં 8 હજાર ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ ઇ વ્હીકલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે જ સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતી રાખવાની કામગીરી અંગેની વાત પણ ગૃહ રાજ્ય મંત્રીએ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં થનારી ભરતીની માહિતી સામે આવી છે. જે અનુસાર બિન હથિયારી PSIમાં 325, હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6324, જેલ સિપાહી પુરુષની 678 અને જેલ સિપાહી મહિલામાં 57 સહિત કુલ 8000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ઉનાળું પત્યા બાદ શરૂ કરવામાં આવશે તેવું ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોલીસ ભરતીની જાહેરાતને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારી છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર પરીક્ષા સંબંધિત નોટિફિકેશન જાહેર કરવું જોઇએ. જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય તેનું ધ્યાન રાખીને જાહેરાતનું અમલીકરણ ઝડપી થવુ જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...