Monday, November 17, 2025

‘કિંગ ઑફ સાળંગપુર’ના કરો પ્રથમ દર્શન : 54 ફુટ ઊંચી હનુમાનદાદાની વિરાટ પ્રતિમાના અનાવરણ થશે

spot_img
Share

ભાવનગર : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સંતોના માર્ગદર્શન તળે હનુમાન જયંતીના આગલા દિવસે 54 ફુટ ઊંચી વિરાટ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુરનું દિવ્ય અનાવરણ તથા બીજા દિવસે કષ્ટભંજનદેવ ભોજનાલયનો ઉદઘાટન મહોત્સવ પ્રસંગે મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો અને અન્નકૂટ વિગેરે કાર્યક્રમોનું આગામી તા.5, 6 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હનુમાન જયંતી અવસરે 5 અને 6 એપ્રિલ દરમ્યાન વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરો, મ્યુઝિક લાઇવ કૉન્સર્ટ સહિતના કાર્યક્રમો યોજાશે. પાંચમી એપ્રિલે સાંજે 54 ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરના નામ સાથે હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમ જ સંતોના સાંનિધ્યમાં અનાવરણ વિધિ યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનદાદાનું પૂજન કરવામાં આવશે.

6 એપ્રિલે ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે. મંદિર પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, પ્રાતઃ પૂજન આરતી, અન્નકૂટ દર્શન, હનુમાનજી જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થશે. આ સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ મંદિરના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...