Monday, November 10, 2025

‘કિંગ ઑફ સાળંગપુર’ના કરો પ્રથમ દર્શન : 54 ફુટ ઊંચી હનુમાનદાદાની વિરાટ પ્રતિમાના અનાવરણ થશે

spot_img
Share

ભાવનગર : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સંતોના માર્ગદર્શન તળે હનુમાન જયંતીના આગલા દિવસે 54 ફુટ ઊંચી વિરાટ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુરનું દિવ્ય અનાવરણ તથા બીજા દિવસે કષ્ટભંજનદેવ ભોજનાલયનો ઉદઘાટન મહોત્સવ પ્રસંગે મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો અને અન્નકૂટ વિગેરે કાર્યક્રમોનું આગામી તા.5, 6 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હનુમાન જયંતી અવસરે 5 અને 6 એપ્રિલ દરમ્યાન વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરો, મ્યુઝિક લાઇવ કૉન્સર્ટ સહિતના કાર્યક્રમો યોજાશે. પાંચમી એપ્રિલે સાંજે 54 ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરના નામ સાથે હનુમાનદાદાની વિરાટ પ્રતિમાનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ તેમ જ સંતોના સાંનિધ્યમાં અનાવરણ વિધિ યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનદાદાનું પૂજન કરવામાં આવશે.

6 એપ્રિલે ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે. મંદિર પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, પ્રાતઃ પૂજન આરતી, અન્નકૂટ દર્શન, હનુમાનજી જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થશે. આ સમગ્ર મહોત્સવનું લાઇવ પ્રસારણ મંદિરના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...