Friday, May 15, 2026

રિડેવલપમેન્ટની પ્રક્રિયાને લઈને હાઉસીંગ બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ નીતિથી હાઉસીંગના રહીશો નારાજ…!!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડ એટલે વિવાદોનું બીજુ નામ કહેવાય છે. બોર્ડ દ્વારા અવારનવાર ખોટા નિર્ણયોને લઈને વિવાદોમાં આવતું જ રહે છે, ગુજરાત સરકારની રિડેવલપમેન્ટ પોલીસી-2016 ને લઈને પણ હાઉસીંગ બોર્ડની પ્રતિષ્ઠા અને આબરૂ ભૂતકાળમાં ખરડાઈ છે. રિડેવલપમેન્ટ પોલીસી આવી ત્યારથી લઈને ૨૦૨૧ એટલે કે પાંચ વર્ષમાં એકમાત્ર એકતા રિડેવલપમેન્ટ સિવાય કોઈ સોસાયટી સરકારની પોલીસીમાં જોડાઈ નહોતી.જયારે હવે સોસાયટીઓ આગળ આવીને રિડેવલપમેન્ટમાં જોડાવવા તત્પર થઈ રહી છે ત્યારે બોર્ડની ડબલ સ્ટાન્ડર્ડ નીતિ હાઉસીંગ બોર્ડની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

હવે વાત વિગતે કરીશું તો હાઉસીંગ બોર્ડની કામગીરી એટલે અંશે ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે કે તેને અમલદારી શાહી ચોક્કસ કહી શકાય.નવા વાડજ વિસ્તારની એક સોસાયટી કિરણપાર્ક એપાર્ટમેન્ટમાં ઈવીક્શન હુકમ બાદ એક મકાનને સીલ મારી કબ્જો લઈ તે મકાનને તોડવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, તો તેવી જ રીતની પ્રક્રિયાના ભાગરૂપ સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ 3 નો ઈવીક્શન ઓર્ડરની મુદત 7 માર્ચ 2023 ના રોજ પૂર્ણ થઈ ગયેલ છે તો સરકારી સંસ્થા દ્વારા અસંમત સભ્યો ઉપર કોઈ કાર્યવાહી કેમ થતી નથી? આવી દોગલી નીતી કેમ? અથવા શેની રાહ જોવાઈ રહી છે જેવા અનેક પ્રશ્નો હાઉસીંગના રહીશો અને આગેવાનો ઉઠાવી રહ્યાં છે.આ ઉપરાંત નારણપુરાના અન્ય એક રામેશ્વર એપાર્ટમેન્ટમાં પણ ઇવીક્શન ઓર્ડર ઈશ્યું કરેલ છે જેની સમય મર્યાદા તારીખ 31 માર્ચ 2023 ના રોજ પૂર્ણ થયેલ છે તો તેમની સાથે હાઉસિંગ બોર્ડનું વલણ કેવું રહેશે ? જો આમ ને આમ હાઉસીંગ બોર્ડની ઢીલી નીતિ રહી તો આગામી વર્ષોમાં માંડ બે-ચાર સોસાયટીઓ રિડેવલમેન્ટમાં જોડાઈ શકશે.

એક હાઉસીંગના રહીશના જણાવ્યા મુજબ સરકારી જમીન પરની સોસાયટીઓ માટેની રીડેવલપમેન્ટ પોલીસી કે પ્રોજેક્ટને સફળ કરવા હશે તો જે તે સરકારી સંસ્થાએ તેમને મળેલ કાયદાકીય સત્તાનો બહુમત હીતમાં ત્વરીત ઉપયોગ કરવો જ પડશે ! સરકારી તંત્રની ઢીલી નીતી સકારાત્મક બહુમત રહીશોનું મોરલ તોડવાનું માધ્યમ ક્યારેય બનવું જોઈએ નહી. બહુમત સભ્યો અનેક પ્રકારની સમસ્યાઓનો રોજબરોજ સોસાયટી લેવલે સામનો કરતા હોય છે તેઓ એક આશા અને વિશ્વાસ હોય છે કે સરકારી સંસ્થા ત્વરિત તેમની તકલીફો દૂર કરશે અને તેમની પડખે ઉભી રહેશે. આવી પરિસ્થીતીમાં જે તે અમલીકરણ સંસ્થા કે તેના અધીકારીઓએ કોઈપણ પ્રકારના દબાણ, પ્રભાવ કે અપેક્ષા વગર પ્રજાહીત જ વિચારવું જોઈએ અને ઝડપી નિરાકરણ લાવવું જોઈએ.

આમ હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ પોલિસીની સફળતા માટે ક્યારેક ક્યારેક અડચણરૂપ થતી ઢીલી નીતિ સામે બહુમત સભ્યોનું હિત જોઈને ઉપસ્થિત પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ ઝડપી લાવી વધુમાં વધુ રહીશો અને સોસાયટીઓ રિડેવલમેન્ટ પોલીસીમાં જોડાય તેવી કામગીરી કરવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...