Tuesday, February 10, 2026

નારણપુરાની અંકુર સોસાયટીની ઘટના : માથાભારે પુત્રવધુએ ઘર-વાહનોમાં તોડફોડ કરી સસરાને ધમકી આપી

spot_img
Share

અમદાવાદ : નારણપુરામાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય તબીબે તેમના નાના પુત્રની માથાભારે પત્ની વિરૂદ્વ સોસાયટીમાં આવેલા મકાનમાં અને વાહનમાં તોડફોડ કરીને ભયનો માહોલ સર્જીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરા અંકુર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય ડૉ. ગોવિંદભાઇ પુરોહિત તેમના પત્ની ગીતાબેન, મોટા પુત્ર યોગેશ અને તેની પત્ની સાથે રહે છે. જ્યારે તેમનો નાનો પુત્ર યગ્નેશ અને તેની પત્ની છેલ્લાં છ વર્ષથી મેમનગરમાં આવેલા સિગ્મા સેરેન ખાતે અલગ રહે છે. ફરિયાદી ગોવિંદભાઇ ઉસ્માનપુરા ખાતે હોસ્પિટલમાં પ્રેકટીસ કરે છે.

ગત 30મી માર્ચના રોજ ગોવિંદભાઇને તેમના પુત્ર યોગેશે ફોન કર્યો હતો કે યજ્ઞેશની પત્ની અંશુ અંકુર સોસાયટીના મકાન પર આવી છે અને ઘરમાં ઘુસવા માટે ધમકી આપે છે. જેથી દરવાજો બંધ કરી દેતા તે બહાર તોડફોડ કરે છે. આ બાબતની જાણ થતા ગોવિંદભાઇએ પોલીસના જાણ કરીને હતી અને ઘરે આવ્યા હતા. ત્યારે અંશુએ લાકડાના દંડા વડે બારીના કાચ અને દરવાજાના કાચ, બગીચાના છોડવાના કુંડા અને વાહનોમાં તોડફોડ કરી હતી.

આ સમયે ગોવિંદભાઇએ સગાવ્હાલાની વાત માનીને પોતાના દીકરાની પત્ની વિરૂદ્વ કાર્યવાહી કરવાનુ ટાળ્યું હતું. પણ તે બાદ અંશુએ ઉસ્માનપુરા ખાતે આવેલી ડૉ. ગોવિંદભાઇની હોસ્પિટલમાં જઇને ધમકી આપતા છેવટે તેમણે આ અંગે નારણપુરા પોલીસ મથકે યજ્ઞેશની પત્ની અંશુ વિરૂદ્વ ગુનો નોંધાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...