Monday, January 26, 2026

વાડજના યુવકે આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો કહ્યું ‘મેં જેનાં નામ લીધાં છે તે બધાને સજા થવી જોઈએ’

spot_img
Share

અમદાવાદ : પ્રેમ પ્રકરણમાં વાડજના યુવકે ‘મેં જેનાં નામ લીધાં છે તે બધાને સજા થવી જોઈએ,’ વીડિયો બનાવીને કેનાલમાં ઝંપલાવી લીધું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની આત્મહત્યા માટે જવાબદાર ચાર લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામદેવપીર ટેકરા પર રહેતો પ્રકાશ થોડા દિવસ પહેલા રીક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો. અહીં તેણે કેનાલ પાસે રીક્ષા પાર્ક કરી અને બાદમાં કેનાલમાં કુદી ગયો હતો. જોકે રાત સુધી પ્રકાશ ઘરે ન આવતા પરિજનોએ તેની શોધખોળ આદરી હતી એવામાં તેમને કેનાલ પાસેથી રીક્ષા પાર્ક કરેલી મળી હતી, જેમાં મોબાઈલ ફોન અને થોડા પૈસા હતા.પોલીસે કલાકોની મહેનત બાદ કેનાલમાંથી પ્રકાશનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

જે બાદ પ્રકાશના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો હતો. આ બાદ પરિવારજનોએ પ્રકાશનો મોબાઈલ ચાર્જ કર્યો અને ચાલુ કરતા અંદરથી એક વીડિયો તેમને મળી આવ્યો હતો. વીડિયોમાં પ્રકાશ જેને પ્રેમ કરતો હતો તે યુવતીનું નામ બોલી રહ્યો હતો અને આગળ કહ્યું કે, યુવતીના પરિવારજનો તેને સતત ધમકાવતા હતા અને તેની સાથે વાત નહોતા કરવા દેતા જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. આ લોકોને ફાંસી નહીં તો ઉંમર કેદની સજા થવી જોઈએ

ગુજરાત પોલીસને મારી એટલી જ અપીલ છે. વીડિયોમાં તેણે પ્રેમિકાના પરિવારજનોના કારણે જ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ વાડજ પોલીસે વીડિયો પરથી પ્રકાશના આપઘાત માટે જવાબદાર ચાર વ્યક્તિ વિરુદ્ધ દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...