Tuesday, February 10, 2026

AMCની પ્રશંસનીય કામગીરી, હોસ્પિટલમાં જઈને વૃદ્ધ દર્દીઓના આધારકાર્ડ કર્યા અપડેટ

spot_img
Share

અમદાવાદ : આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી. આધાર સિનિયર સિટીઝનો માટે પણ એટલું જ જરૂરી છે.આધારમાં માત્ર એક વિશિષ્ટ ઓળખ જ નથી. પરંતુ તે વિવિધ સરકારી સેવાઓના લાભ મેળવવા માટે પણ એટલું જરૂરી છે, એવામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમે શહેરનાં વૃદ્ધ દર્દીઓ માટે સરાહનીય કામગીરી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્વીટર હેન્ડલ ઉપર તેની જાણકારી આપવામાં આવી છે. જેમાં શહેરની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP) તેમજ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ વૃદ્ધ દર્દીઓના આધાર અપડેટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ મહિલા દર્દી તેમજ યુ એન મહેતા હોસ્પિટલમાં હાર્ટની સારવાર લઇ રહેલા 66 વર્ષના પુરુષ દર્દીના આધાર અને બાયોમેટ્રિક અપડેશનની કાર્યવાહી હોસ્પિટલમાં જઈને સફળતા પૂરી કરવામાં આવી હતી. જેથી આ દર્દીઓ હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભ સરળતાથી ઉઠાવી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો અને દર્દીઓને ઘર આંગણે આધારકાર્ડ કાઢી આપવાની કરાઈ રહી છે પ્રશંસનીય કામગીરી. છેલ્લાં 4 વર્ષમાં તંત્રએ ઘરે જઈને કુલ 958 આધારકાર્ડ કાં તો નવાં કાઢ્યાં છે અથવા તેમાં ફેરફાર કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...