Monday, November 10, 2025

હવે ડ્રાઇવીંગ ટેસ્ટ સમયે યુવતીઓનો નંબર રજીસ્ટરમાં નોંધવામાં નહી આવે : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

spot_img
Share

ગાંધીનગર : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને લઈ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. તેમણે આદેશ કર્યો છે કે, યુવતીઓના નંબર રજિસ્ટર પર નોંધવા નહીં. આપને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સમયે ટ્રેક પર નંબર લખવામાં આવે છે. ગઇકાલે જ રાજયના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત આરટીઓ કચેરીની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના 24 કલાક જ વિત્યા બાદ વાહન વ્યવહાર મંત્રીએ એક મહત્વનો નિર્ણય લઇ અને ડ્રાઇવીંગ ટેસ્ટ દરમ્યાન યુવતીઓનો નંબર રજીસ્ટરમાં નહીં નોંધવા આદેશ આપેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવીંગ ટેસ્ટ સમયે ટ્રેક ઉપર વાહન ધારકનો નંબર લખવામાં આવે છે. પરંતુ હવે યુવતીઓની સલામતીને ધ્યાને રાખી મંત્રી સંઘવીએ આ મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.

યુવતીઓનો નંબર રજિસ્ટરમાં ન નોંધવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આ આદેશ કર્યો છે ખાસ કરીને તેમજ ગઈકાલે વાહન વ્યવહાર મંત્રીએ સુરત આરટીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અધિકારીઓ સાથે તેમજ આરટીઓ કચેરીએ આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી હતી. અને અધિકારીઓને દોડતા કરી દીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...