Friday, April 17, 2026

અમદાવાદ સિવિલમાં પરિવારજનો લાશ લેવા તૈયાર નથી, યુવતીની ખેતરમાં નિર્વસ્ત્ર લાશ મળી હતી, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : મહેસાણાના મોલમાં નોકરી કરતી યુવતી ઘરે ન પહોંચી હતી અને તેની નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં લાશ મળી હતી. યુવતી સાથે શું બન્યું? તે હજી સુધી તેનો પરિવાર જાણતો નથી, તેવા સમયે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હવે યુવતીની લાશને પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી રહ્યા છે.

મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટી ને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાના મમ્મી સાથે ફોન ઉપર રોજિંદી વાત કરતી હતી અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વીચ ઓફ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતીના પહોંચતા પરિવાર વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય તે બાબતે જાણકારી આપી હતી.

પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતા પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવાર પણ મહેસાણાના વિવિધ વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથધરી. યુવતી જે ઓશિયા મોલમાં નોકરી કરતી હતી તે સ્થળે મોલમાં પણ પરિવાર અડધી રાત્રે યુવતીની શોધખોળ માટે ગયા ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે સવારે 10 વાગે નોકરી કારવાતો યુવતી આવશે ત્યારે પરિવારને જાણકારી આપીશું.

સતત બે દિવસની શોધખોળ બાદ અચાનક બાસણા મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરના ખેડૂતે પોલીસને જાણકારી આપી કે કોઈ અજાણી યુવતીની નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના ફોન બાદ તુરંત પોલીસ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી અને 25મી ગુમ થયેલ યુવતીના પરિવારને જાણકારી આપી અને મૃતદેહના ઓળખ માટે બોલાવ્યા ત્યારે યુવતીના પરિવારજનો ને ફાડ પડી હતી.

યુવતીના પરિવારજનોનું માનીએ તો મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાં યુવતીનો નગ્ન અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ હતો. યુવતીના શરીર ઉપર બચકા ભરવામાં આવ્યા હોય તેવા નિશાન હતા અને યુવતીનું મોઢું પથ્થર મારીને છૂંદી નાખવામાં આવ્યું હતું. જેથી યુવતીની ઓળખ ના થાય પરંતુ ખેતરથી અડધો કિલોમીટર દૂર બેગ મળી જેમાં યુવતીનું આઈકાર્ડ અને આધારકાર્ડ મળી આવતા પરિવારે યુવતીની ઓળખ કરી હતી.

યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. બીજી તરફ યુવતીની શંકાસ્પદ હાલતમાં મળતા પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે, યુવતી સાથે બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં આવે નહીં તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...