Thursday, January 22, 2026

નવા વાડજના સિધ્ધિ વિનાયક મંદિર ખાતે મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસનો કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજના અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો. સિદ્ધિ વિનાયક સેવા સંઘ દ્વારા ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત સોમવારે સંકટ ચતુર્થીના દિવસે અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો.જેમાં જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.સોમવારના દિવસે સંકટ ચૌથ હોવાને કારણે મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શનાર્થી આવતા હોય છે.

આ કેમ્પ દરમ્યાન સિધ્ધિ વિનાયક સેવા સંઘ તરફથી ખેતારામ પુરોહિત, વાય કે પટેલ, બળદેવ દેસાઈ, કીર્તિ જાની, ગીતાબેન પટેલ, નયનાબેન પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી દિપક પરમાર, રવિ ચૌહાણ, વિનાયક ભટ્ટ, અમીત પટેલ, તન્વી પટેલ તથા એડીસી બેન્ક તરફથી મુકેશ પટેલ, દેવેશ પટેલ, હર્ષિત મહેતા, સાગર પટેલે સમગ્ર દિવસ દરમ્યાન ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...