Thursday, January 8, 2026

નવા વાડજના સિધ્ધિ વિનાયક મંદિર ખાતે મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસનો કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજના અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો. સિદ્ધિ વિનાયક સેવા સંઘ દ્વારા ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત સોમવારે સંકટ ચતુર્થીના દિવસે અખબારનગર સર્કલ પાસે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ADC બેન્ક તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી એક દિવસીય મહિલાઓ માટે વિનામુલ્યે લોહીની તપાસ (cbc) નો કેમ્પ યોજાયો હતો.જેમાં જેમાં 500 થી વધુ મહિલાઓએ માર્ગદર્શન મેળવી, 400 થી વધુ મહિલાઓએ લોહીની તપાસ (cbc) કરાવી હતી.સોમવારના દિવસે સંકટ ચૌથ હોવાને કારણે મોટી સંખ્યામાં મંદિર ખાતે દર્શનાર્થી આવતા હોય છે.

આ કેમ્પ દરમ્યાન સિધ્ધિ વિનાયક સેવા સંઘ તરફથી ખેતારામ પુરોહિત, વાય કે પટેલ, બળદેવ દેસાઈ, કીર્તિ જાની, ગીતાબેન પટેલ, નયનાબેન પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી દિપક પરમાર, રવિ ચૌહાણ, વિનાયક ભટ્ટ, અમીત પટેલ, તન્વી પટેલ તથા એડીસી બેન્ક તરફથી મુકેશ પટેલ, દેવેશ પટેલ, હર્ષિત મહેતા, સાગર પટેલે સમગ્ર દિવસ દરમ્યાન ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...