Monday, November 10, 2025

ગુજરાતમાં નવી 68 માધ્યમિક સ્કૂલોને બોર્ડની મંજૂરી, મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને મંજૂરી આપી છે. શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે 68 નવી સ્કૂલોને મંજૂરી આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી સ્કૂલો શરૂ કરવા માટે 234 અરજી આવી હોવાનું જાણવા મળે છે. જે પૈકી માત્ર 68 જેટલી સ્કૂલોને જ નવી સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ખાનગી સ્કૂલો શરૂ થાય છે, જેમાં આ વખતે વધુ 68 જેટલી સ્કૂલોને મંજૂરી મળી હોવાનું સામે આવ્યું છે. મંજૂર થયેલી સ્કૂલોમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની સ્કૂલો છે.

ગુજરાતમાં ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ ઊભી થઈ રહી છે, ખાનગી શાળાઓની અધધધ ઈનકમ પણ હવે ધ્યાનમાં આવવા લાગી છે. હાલમાં ગુજરાતમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની 234 અરજીઓ આવી હતી જેમાંથી 166 અરજીઓને ફગાવી દેવાઈ છે જ્યારે 68 અરજીને લીલીઝંડી અપાઈ હતી. આ અરજીઓાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની છે જ્યારે ગુજરાતી માધ્યમમાં ઓછી શાળાઓ છે. બોર્ડ દ્વારા વિવિધ માપદંડોને આધારે શાળાઓને મંજુરી આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...