Tuesday, September 16, 2025

વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસ.ટીનો પાસ ઓનલાઇન મળશે

Share

Share

ગાંધીનગર: રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની અંદરથી શાળા અને કોલેજના અભ્યાસ માટે જતા હોય તેના પરિવહન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોની અંદરથી વિદ્યાર્થીઓને પાસ કાઢી આપતા હોય છે અને તે માટેની જે વ્યવસ્થા છે તે ફિઝિકલ રાખવામાં આવતી હોય છે.

ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં આ રીતે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.

આ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.

આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો પણ ઓનલાઇન પાસ એમ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4 લાખ 73 હજાર 769 ગ્રામીણ વિદ્યાર્થીઓ અને 43 હજાર 392 શહેરી વિદ્યાર્થીઓ જ્યારે દૈનિક મુસાફરીમાં 80 હજાર 339 મહિલા મુસાફરો અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરો લાભ મેળવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...